SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ આગમિક-ગચ્છના આચાર્યો તથા સોમસુંદરસૂરિના શિષ્ય મુનિસુંદરસૂરિના સંયુક્ત પ્રયાસોથી વિ. સં. ૧૪૬૬ની આસપાસ ચૈત્યવાસી પરંપરાનું અસ્તિત્વ જ સમાપ્ત થઈ ગયું. ચૈત્યવાસી પરંપરાના સમાપ્ત થવાની સાથે જ એ જ પરંપરાના આચાર્યો વડે પોતાના ઉત્કર્ષકાળમાં બનાવેલા નવા-નવા નિયમો, નૂતન માન્યતાઓ, સ્વકલ્પિત વિધિવિધાનો વગેરેના બધા ગ્રંથ પણ વિસ્મૃતિના ગર્તમાં વિલુપ્ત થઈ ગયા. આજે ચૈત્યવાસી પરંપરાના એક પણ ગ્રંથ ઉપલબ્ધ નથી. એ પ્રકારે તો ચૈત્યવાસી પરંપરા વી. નિ. ની અગિયારમી શતાબ્દીથી વિ. ની. ની વિસમી શતાબ્દીના પ્રથમ ચરણ સુધી ભારતવર્ષના અધિકાંશ ભાગો પર પોતાનું પૂર્ણ વર્ચસ્વ બનાવીને રહી, તે પોતાના લગભગ ૧૦૦૦ વર્ષના અસ્તિત્વકાળ પશ્ચાત્ પૂર્ણતઃ લુપ્ત થઈ ગઈ. ચૈત્યવાસી પરંપરા તો સમાપ્ત થઈ ગઈ, પરંતુ તે પોતાની પાછળ પોતાનાં પદચિહ્ન છોડતી ગઈ. ચૈત્યવાસી પરંપરા દ્વારા પ્રચલિત કરેલાં આકર્ષક વિધિ-વિધાન, લગભગ ૧૦૦૦ વર્ષના નિયમિત અભ્યાસને કારણે જનમાનસમાં ધર્મ-કૃત્યોના રૂપમાં રૂઢ થઈ ગયાં, પરિણામે ચૈત્યવાસના હાસોન્મુખ કાળમાં પાંગરેલી પ્રાયઃ બધી પરંપરાઓને ચૈત્યવાસીઓ વડે પ્રચલિત કરેલી માન્યતાઓ, વિધિ-વિધાનોને કોઈ ને કોઈ રૂપમાં અપનાવી લીધાં. આ રીતે ચૈત્યવાસી પરંપરા તો સમાપ્ત થઈ ગઈ, પણ એની છાપ અને એમના અવશેષ આજે પણ વિદ્યમાન છે. " ( સુવિહિત પરંપરા. ચૈત્યવાસી પરંપરાના જન્મના પશ્ચાત્કાલીન ઉલ્લેખોથી એવું પ્રમાણિત થાય છે કે મૂળ શ્રમણાચારી આચાર્યોએ શ્રમણ-શ્રમણી વર્ગમાં વધતા જતા શિથિલાચારને રોકવાના પ્રયત્ન કર્યા તથા વિશુદ્ધ શ્રમણાચારનું પાલન કરતા બધા શ્રમણો માટે એક સમાચારીનું નિર્ધારણ કર્યું. અભેદ તથા મૌક્ય પ્રગટ કરવાની દૃષ્ટિથી એ નવનિર્ધારિત સમાચારીઓને પાળવા તથા માનવાવાળા બધાં શ્રમણશ્રમણીઓને કોઈ પણ ગણ અથવા ગચ્છના ભેદભાવ વગર, “સુવિહિત’ નામથી સંબોધિત કરવાનો પ્રારંભ થયો. આ પ્રકારે સાચા સમાચારીનું પાલન કરવાવાળાં શ્રમણ-શ્રમણી વર્ગને ચૈત્યવાસી પરંપરાના | ૩૮ 969696969696969696969છે જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)
SR No.005687
Book TitleJain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages290
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy