________________
બાળકે સરળ મનથી સચ્ચાઈ પ્રગટ કરતાં તરત જ જવાબ આપ્યો: “દઢ વિશ્વાસ સાથે કહું છું કે, પાટી પર મને એવું લખીને આપવામાં આવ્યું હતું, તે જ હું બોલી રહ્યો છું.”
પ્રતિવાદીનું વાસ્તવિક સ્વરૂપે પ્રગટ થઈ જવાથી કે વાદ માટે જેવું એને રટણ કરાવવામાં આવ્યું હતું, તે જ તે અક્ષરશઃ બોલી રહ્યો છે, બધા સભ્ય સ્તબ્ધ રહી ગયા.
સૂરાચાર્યે રહસ્યમય પ્રશ્ન કર્યો : “માલવેશ ! આપના માલવ પ્રદેશમાં શું આ જ પ્રકારનો શાસ્ત્રાર્થ થાય છે ?”
આ પ્રમાણે રાજા ભોજની રાજસભાને શાસ્ત્રાર્થમાં પરાજિત અને નિરત્તર કરીને સૂરાચાર્ય તરત જ પોતાના આવાસની તરફ રવાના થયા. રહસ્યના પ્રગટ થઈ જવાની ગ્લાનિ અને વાદમાં પરાજયના શોકથી પીડિત રાજા ભોજે તરત જ સભાને વિસર્જિત કરી દીધી અને પોતે મંત્રણાકક્ષમાં જતો રહ્યો.
આચાર્ય બૂટસરસ્વતીએ પોતાના અતિથિ (મહેમાન) સૂરાચાર્યને કહ્યું : “વિવંદ શિરોમણિ ! આપની વામિતા અને વિદ્વત્તાથી - જિનશાસનની પ્રભાવના થઈ છે, તેનું સન્માન વધ્યું છે, એ વાતની તો મને ખૂબ સુખાનુભૂતિ થઈ રહી છે, પરંતુ હવે આપનું જીવન સંકટમાં છે. આપની નજીક દેખાતા મૃત્યુની આશંકાથી મને ખૂબ દુ:ખ થાય છે. કેમકે રાજા ભોજ ખરેખરમાં પોતાની સભાને જીતી લેનાર વિદ્વાનને પોતાના સ્વભાવ અનુસાર ગમે તે રીતે (યેન-કેન-પ્રકારેણ) મરાવડાવી જ દે છે.”
સૂરાચાર્યે બૂટસરસ્વતીને આશ્વાસન આપતાં કહ્યું : “આપ કોઈ પણ વાતની ચિંતા કરશો નહિ. હું આ અચાનક આવી પડેલા જીવન સંકટથી આત્મરક્ષા કરી લઈશ.”
તે જ સમયે મહાકવિ ધનપાલ દ્વારા મોકલવામાં આવેલ તેમનો એક ભરોસાપાત્ર પુરુષ મઠમાં આવ્યો અને તેણે સૂરાચાર્યને પોતાના સ્વામીનો સંદેશો સંભળાવતા કહ્યું : “પૂજ્યવર ! આપ પૂર્ણતઃ ગુપ્તરૂપમાં જલદીથી મારા ઘરે આવી જાઓ. આ રાજાનો કોઈ ભરોસો નથી. મારે ત્યાં આવી ગયા પછી આપે કંઈ કરવાનું રહેશે નહિ. જૈન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૩) દB૬૩ ૬૩૬9696969696969 ૨૫૫