________________
(૧૬) વર્ષની વય (આયુ) સુધીના કોઈ કુશાગ્ર બુદ્ધિવાળા છાત્રને બોલાવવામાં આવે અને તેને કોઈ પ્રકાંડ પંડિતના માધ્યમથી પ્રમાણશાસ્ત્રોનું શિક્ષણ આપવામાં આવે.” - રાજા આ સુઝાવ સાથે સહમત થયા. એક સૌમ્ય મેધાવી, વાપટુ, તીવ્રબુદ્ધિ નાની ઉંમરના બાળકને શોધીને લાવવામાં આવ્યો અને તેને તર્કશાસ્ત્રનું અધ્યયન (શિક્ષણ) કરાવવામાં આવ્યું. તેણે થોડા જ સમયમાં તર્કશાસ્ત્રમાં ખૂબ નિપુણતા મેળવી લીધી. રાજાએ શાસ્ત્રાર્થ માટે શુભ મુહૂર્ત નિકળાવ્યું અને વાદ કરવામાં શૂર સુરાચાર્યને તે નૂતલ (અનોખા) બાળ પંડિત સાથે શાસ્ત્રાર્થ કરવા માટે નિમંત્રણ આપ્યું.
તે અલ્પવયસ્ક (લઘુવયનું) છાત્ર પંડિતની તરફ જોતાં સૂરાચાર્યે કહ્યું : “રાજનું ! શાસ્ત્રાર્થના નિયમ અનુસાર વાદ માટે પ્રતિસ્પર્ધીઓમાં વય, વિદ્યા વગેરેની સમાનતા હોવી જરૂરી છે. યુવાવાદીઓ માટે બધી રીતે અપરિપક્વ આ બાળ પ્રતિવાદીની સાથે શાસ્ત્રાર્થ કરવો કોઈ રીતે યોગ્ય નથી, આ વાતને આપ ધ્યાનમાં લો.” | રાજા ભોજે કહ્યું: “મહર્ષિનું ! ફક્ત વય અને વપુ (ઉંમર અને શરીર) જોઈને જ આપ એમ ન સમજી લેશો કે આ શિશુ (બાળક) છે. આપ વિશ્વાસ રાખો કે આ શિશુના રૂપમાં સાક્ષાત્ વાવાદિની દેવી સરસ્વતી જ આ રાજ્યસભામાં આપની સમક્ષ શાસ્ત્રાર્થ કરવા માટે હાજરાહજૂર છે. મારો એવો દઢ મત છે કે આ સરસ્વતી સ્વરૂપ પ્રતિવાદીને આપના દ્વારા જીતી લેવાથી હું માની લઈ શકે કે તમો મારી રાજસભાને જીતી લીધી છે.” - સૂરાચાર્યે રાજાનો નિર્ણય માન્ય રાખ્યો અને પરંપરાગત નિયમ અનુસાર પ્રતિવાદીને પોતાનો પૂર્વપક્ષ પહેલાં રજૂ કરવા કહ્યું. પ્રતિવાદી બાળકે પોતાના રટેલા પાઠને ધારા-પ્રવાહની જેમ બોલીને પોતાનો પૂર્વપક્ષ મૂક્યો.
પ્રતિવાદીના મુખમાંથી આ પ્રકારના ઉચ્ચારણને સાંભળીને સૂરાચાર્ય તરત જ સમજી ગયા કે, રટેલા પાઠોનો અર્થ સમજ્યા વગર જ બાળપંડિત બોલી રહ્યો છે. આથી વચ્ચે ટોકતા સૂરાચાર્યે તેને કહ્યું: “મહાનુભવ! તમે જે અંતિમ વાક્યનું ઉચ્ચારણ કર્યું છે, તે ખરેખર અશુદ્ધ છે. કૃપા કરીને તેને ફરીથી બોલો.” [ ૨૫૪ 9696969696969696969696ણે જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)