SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાક વિદ્વાનોનો મત છે કે - “ઉદ્યોતનસૂરિએ તે સમયે તેમના એક જ શિષ્ય શ્રી સર્વદેવસૂરિને આચાર્યપદ પ્રદાન કર્યું, બાકી સાત શિષ્યોને નહિ.” એવું લાગે છે કે સર્વદેવસૂરિના પ્રશિષ્ય સર્વદેવસૂરિ (દ્વિતીય)એ પોતાના આઠ શિષ્યોને આચાર્યપદ પ્રદાન કર્યું હતું. જેમનામાંથી એક ધનેશ્વરસૂરિ હતા. આમ નામોની સામ્યતાને લીધે કદાચ ઉદ્યોતનસૂરિ દ્વારા સર્વદેવસૂરિની સાથે સાત શિષ્યોને આચાર્યપદ આપવાની વાત કહેવામાં આવતી હોય.” બૃહદ્ગચ્છ ગુર્નાવલી' (બડગચ્છ ગુર્નાવલી) અનુસાર ઉદ્યોતનસૂરિએ વિ. સં. ૯૯૪માં સર્વદેવસૂરિ વગેરેને ટેલી ગામની પાસેના લોકડિયા વટવૃક્ષની નીચે આચાર્યપદ પ્રદાન કર્યું. તે સમયે તેમણે પોતાના ઘણા શિષ્યોને આચાર્યપદ પ્રદાન કર્યું અને પ્રત્યેક આચાર્યને ૩00-300 સાધુઓનો સમૂહ આપ્યો. શરૂઆતમાં લોકો આ ગચ્છને વટગચ્છના નામથી સંબોધતા હતા, પરંતુ જ્યારે બડગચ્છ શાખા-પ્રશાખાઓમાં ફેલાયેલા વટવૃક્ષની જેમ એક શક્તિશાળી અને વિશાળ ગચ્છનું રૂપ ધારણ કરવા લાગ્યો તથા તેમાં ગુણિયલ સાધુઓની ઉત્તરોત્તર અભિવૃદ્ધિ થવા લાગી, તો બધા ગચ્છ તેનાથી પ્રભાવિત થઈ તેને બૃહદ્ગચ્છના સન્માનાસ્પદ નામથી સંબોધિત કરવા લાગ્યા. ક્યાંક બડગચ્છની ઉત્પત્તિ ઉદ્યોતનસૂરિથી બતાવવામાં આવી છે તો ક્યાંક સર્વદેવસૂરિથી, પણ તેનાથી કોઈ ફરક પડતો નથી. ખરેખરમાં ઉદ્યોતનસૂરિ બડગચ્છના સંસ્થાપક હતા અને તેમના શિષ્ય સર્વદેવસૂરિ તેમના પ્રથમ આચાર્ય, બીજા શબ્દોમાં એમ કહી શકાય કે ઉદ્યોતનસૂરિએ બડગચ્છની સ્થાપના કરી અને સર્વદેવસૂરિથી બડગચ્છની પરંપરા પ્રચલિત થઈ. આચાર્ય સર્વદેવસૂરિ પછી સાડત્રીસમા પટ્ટધર આચાર્ય દેવસૂરિ થયા. દેવસૂરિ પછી આડત્રીસમા પટ્ટધર સર્વદેવસૂરિ (દ્વિતીય) થયા. દ્વિતીય સર્વદેવસૂરિએ પોતાના આચાર્યકાળમાં આઠ સુયોગ્ય શિષ્યોને પૃથફ સાધુસમૂહ આપીને આચાર્યપદ પ્રદાન કર્યું. આ પ્રમાણે સર્વદેવસૂરિ (દ્વિતીય)ના આચાર્યકાળમાં બડગચ્છના આઠ આચાર્ય થઈ ગયા, તે એક ખૂબ મોટો ગચ્છ બની ગયો અને બૃહદ્ગચ્છના નામથી લોકોમાં પ્રસિદ્ધ થયો. આચાર્ય સર્વદેવસૂરિ(દ્વિતીય)એ પોતાના જે આક પ્રમુખ શિષ્યોને આચાર્યપદ પર અધિષ્ઠિત કર્યા. તેમનામાંથી એક શિષ્યનું નામ ધનેશ્વર હતું. ૨૩૦ ઉ625363336333333 જેન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
SR No.005687
Book TitleJain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages290
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy