________________
આચાર્યશ્રીની વાત ધ્યાનથી સાંભળ્યા બાદ સિદ્ધ સંયત, સુદૃઢ અને વિનમ્ર સ્વરમાં નિવેદન કર્યું: “દુર્વ્યસનીઓની લાચાર દયનીય અવદશાની સરખામણીમાં શું આપ દ્વારા બતાવવામાં આવેલ શ્રમણધર્મની પરિપાલનામાં આવવાવાળી તકલીફો વધુ દુસ્સા અને દારુણ છે ? સંયમ તો વિશ્વવંદનીય છે. ભગવન્! મારું માનવું છે કે, દુર્વ્યસનીઓનાં દુઃખોની તુલનામાં તો સંયમજીવનમાં થવાવાળી તકલીફો નગણ્ય અને નહિની બરાબર છે. ભગવન્! હું હવે તમામ HARI EMAMTERMINAR . HERE પ્રકારનાં દુઃખોનો સદાયને માટે અંત લાવવાનો દઢ સંકલ્પ કરી ચૂક્યો છું. માટે આ ગરીબ પર કૃપા કરીને શ્રમણધર્મની દીક્ષા આપી આપના ચરણકમળમાં શરણ આપો. આ સેવકના માથે આપના વરદહસ્ત મૂકીને કૃતકૃતાર્થ કરો.”
આ સાંભળી આચાર્યશ્રી મનોમન ખૂબ પુલકિત થયા ને સુયોગ્ય શિષ્ય મળવાની આશામાં તેમને આંતરિક આફ્લાદનો અનુભવ થયો. તેમણે સિદ્ધને કહ્યું: “વત્સ ! અમે, કોઈ પણ આપ્યા સિવાયની વસ્તુ ગ્રહણ નથી કરતા. અમારી પાસે સંયમ લેવા માટે તારાં માતા-પિતાપત્નીની સ્વીકૃતિ જરૂરી છે, ત્યાં સુધી ધીરજ રાખ.” આચાર્યદેવના આદેશને શિરોધાર્ય કરી સિદ્ધકુમાર ઉપાશ્રયમાં રોકાઈ ગયો.
આ બાજુ સવાર થતાં રાતની આખી ઘટનાનો હાલ પોતાની પત્ની પાસેથી સાંભળીને શુભંકર તરત જ પોતાના ઘરેથી નીકળીને પોતાના પુત્રને શોધતો-શોધતો તે જ ઉપાશ્રયમાં આવ્યો. તો પોતાના પુત્રને શાંત-દાન્ત મુદ્રામાં ત્યાં બેઠેલો જોઈને તેને ઘરે પાછા ચાલવા માટે કહ્યું. પરંતુ સિદ્ધકુમારે જીવનભર આચાર્યશ્રી પાસે રહેવાનો પોતાનો નિર્ણય સંભળાવ્યો. પિતાએ તેને સમજાવ્યો કે - “હમણાં તું અતુલ વૈભવનો, સાંસારિક સુખોનો ઉપભોગ કર. જો તું જન્મ-મરણના ચક્રથી છુટકારો મેળવવા માંગતો હો તો આપણી વંશ-પરંપરા ચલાવવાળી સંતતિ (સંતાન)ના પેદા થયા પછી દીક્ષિત થઈ જજે.” પરંતુ સિદ્ધ'ને જ પોતાના જીવનનું એકમાત્ર લક્ષ્ય બનાવી લેનાર સિદ્ધને મોહ, મમતા, પ્રલોભન (લાલચ) વગેરે સાંસારિક પ્રપંચ લેશમાત્ર પણ વિચલિત ન કરી શક્યાં. સિદ્ધકુમારે પોતાના પિતાને ફરી-ફરીને દીક્ષાની અનુમતિ (રજા) આપવા માટે વિનંતી કરી. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 3696969696969696969૬૨૨૧