________________
બીજી માન્યતા : આચાર્ય દેવસેને પોતાની કૃતિ દર્શનસાર'માં લખ્યું છે કે “માથુરસંઘના સંસ્થાપક આચાર્ય રામસેને કોઈ પણ જિનપ્રતિમામાં જિનેશ્વર ભગવાનની કલ્પના કરવાની અને તે પ્રકારની કલ્પના સાથે પ્રતિમાને (મૂર્તિને) વંદન કરવાની, તેની પૂજા-અર્ચના કરવાની વગેરે ક્રિયા-કલાપોને સમ્યકત્વ પ્રકૃતિ મિથ્યાત્વની સંજ્ઞા આપી છે.
આ રીતે આડંબરભર્યા સાકાર ઉપાસના તરફ ઊમટી પડેલા જન-માનસને રામસેને નિરાકાર આધ્યાત્મિક ઉપાસનાની દિશામાં વાળવાનો પ્રયત્ન કર્યો.
આચાર્ય દેવસેન મુજબ માથુરસંઘના અનુયાયીઓમાં એ પ્રકારની વૃત્તિ પણ ઉત્પન્ન કરવામાં આવી કે - “તેઓ ફક્ત પોતાના આચાર્ય અથવા સંઘ દ્વારા બનાવેલ વસતિઓ, ધર્મસ્થાનોમાં જ નિવાસ કરે, અન્ય કોઈ સંઘ અથવા આચાર્ય દ્વારા બનાવેલ વસતિઓમાં ન રોકાય.” આચાર્ય દેવસેને માથુરસંઘના અનુયાયીઓના માનસમાં ઘર કરી ગયેલી એ મનોવૃત્તિનો પણ ઉલ્લેખ કર્યો છે કે - “તેઓ પોતાના ગુરુને જ સર્વશ્રેષ્ઠ માને, અન્ય કોઈને નહિ. માથુરસંઘ સિવાયના બીજા અન્ય બધા સંઘોની ઉપેક્ષા અને ફક્ત માથુરસંઘનાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા અને ધર્મસ્થળોને પોતાના સમજવાનો મમત્વભાવ આચાર્ય રામસેને પોતાના અનુયાયીઓમાં ઉત્પન્ન કર્યો, આ પ્રકારનો ઉલ્લેખ પણ આચાર્ય દેવસેને દર્શનસાર'માં કર્યો છે. નીતિસાર'માં અન્ય કેટલાક બીજા સંઘોની સાથે માથુરસંઘને પણ જૈનાભાસ સંઘ બતાવવામાં આવ્યો છે.
. (આચાર્ય સિદ્ધર્ષિ) કહેવામાં આવે છે કે પારસના સ્પર્શથી લોઢું સોનું બની જાય છે, પરંતુ પ્રત્યક્ષમાં ન તો કોઈએ પારસને જોયો છે અને ન સોનામાં પરિવર્તિત થતાં લોઢાને. પરંતુ સંત-સમાગમથી, સત્સંગના પ્રતાપથી સામાન્યમાં સામાન્ય માણસ પણ જનથી જિન, માનવથી મહાત્મા, આત્માથી પરમાત્મા અને નરથી નારાયણ બની જાય છે. આ બાબતના ન કેવળ એક, પરંતુ અનેકાનેક સત્ય ઉદાહરણ આપણને ધર્મગ્રંથોના માધ્યમથી અને પ્રત્યક્ષ રીતે ઉપલબ્ધ થઈ જાય છે. " અધ્યાત્મવિદ્યાના ઉચ્ચ કોટિના મહાકવિ ને મહાન આચાર્ય સિદ્ધર્ષિનું જીવનચરિત્ર સત્સંગના અદ્ભુત ચમત્કાર અને અચિંત્ય પ્રતાપનું એક જૈન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૩) 96969696969696969696969 ર૧૦ |