________________
જન્મ થયો. અમોઘવર્ષના જન્મ પછી ગોવિંદ તૃતીયને અનેક મોટી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ.
ગોવિંદ તૃતીયએ પોતાના વિસ વર્ષના શાસનકાળ (વી. નિ. સં. ૧૩૨૧-૧૩૪૧)માં મલખેડના રાષ્ટ્રકૂટ રાજ્યને એક શકિતશાળી સામ્રાજ્યનું સ્વરૂપ પ્રદાન કર્યું. વી. નિ. સં. ૧૩૪૧માં તેમનું મૃત્યુ થઈ ગયા પછી તેમનો પુત્ર અમોઘવર્ષ રાષ્ટ્રકૂટના વિશાળ સામ્રાજયના રાજસિંહાસન પર આરૂઢ થયો.
જે સમયે અમોઘવર્ષ રાષ્ટ્રકૂટવંશીય વિશાળ સામ્રાજ્યના રાજસિંહાસન પર બેઠા તે સમયે તેમની વય ફકત બાર વર્ષની હતી. સુવિશાળ સામ્રાજ્ય સ્વામીની બાળવય જોઈને એ સ્વાભાવિક હતું કે તે સામ્રાજ્યના સત્તાભૂખ્યા સામંત, શત્રુરાજા અને પડોશી રાજાઓ માથું ઊંચકે, અમોઘવર્ષે બાળવય હોવા છતાં ખૂબ ધીરજ અને સૂઝબૂઝથી કામ લીધું. પોતાના કાકાના દીકરાભાઈ, લાટ પ્રદેશના શાસક કર્ક અને પોતાના સેનાપતિ બકૈયાની મદદથી તેણે એક પછી એક કરીને બધા વિદ્રોહીઓને કચડી નાખ્યા. આ રીતે અમોઘવર્ષને લગભગ છેતાલીસ વર્ષ સુધી સંઘર્ષમય રહેવું પડ્યું. તેના શાસનકાળના અંતિમ અઢાર વર્ષ શાંતિથી વીત્યાં.
( મહારાજા અલ્લટ )
| ચિતૌડ(મેવાડ)ના સિસોદિયાવંશીય રાજા અલ્લટ જૈન ધર્મ અને જૈનાચાર્યો પ્રત્યે પ્રગાઢ શ્રદ્ધા-ભક્તિ રાખતા હતા. મેવાડના મહારાજા ભર્તૃભટ્ટ (દ્વિતીય)ની મહારાણી રાઠૌડવંશની રાજકુમારી મહાલક્ષ્મીની કૂખે અલ્લટનો જન્મ થયો. મહારાજા ભર્તૃભટ્ટ પછી વિ. સં. ૯૨૨ની આસપાસ અલ્લટ ચિતૌડના રાજસિંહાસન પર બેઠો. મેવાડના સિંહાસન પર વિ. સં. ૯૨૨થી વી. સં. ૧૦૧૦ સુધી આસીન રહીને મેવાડ પર શાસન કરતો રહ્યો, એવું તેના રાજ્યકાળના ઉપલબ્ધ શિલાલેખથી અનુમાન કરવામાં આવે છે.
એક વખત જૈનાચાર્ય બલિભદ્રસૂરિનું હથુંડીમાં પદાર્પણ થયું. તે સમયે મહારાજા અલ્લટની મહારાણી મહાલક્ષ્મી હથંડીમાં હતી અને તે અસાધ્ય રોગથી પીડાતી હતી. આચાર્ય બલિભદ્રસૂરિનાં દર્શન અને જિન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩) 3339૬ દીદી 2013 ૨૦૦.