________________
સૌથી પ્રાચીન શિલાલેખ સં. એક (૧) અનુસાર દ્વિતીય ભદ્રબાહુ પોતાના શિષ્યસંઘ સાથે દક્ષિણના કર્ણાટકમાં કટવપ્ર નામના સ્થાન પર ગયા હતા. તે સમયે પુન્નાટ પ્રદેશની રાજધાની કિટૂરમાં હતી. આ જ કારણથી પુશાટ પ્રદેશને કિનૂર-કટવપ્રના નામથી ઓળખવામાં આવે છે. પુત્રાટના આચાર્ય જિનસેન અપ્રતિહત વિહાર કરતા-કરતા, કદાચ ગિરનારની યાત્રાએ આવ્યા હોય. તે સમયે તેમણે હરિવંશપુરાણની રચના કરી. તેઓ જયધવલા અને આદિપુરાણના રચનાકાર જિનસેનાચાર્યના સમકાલીન હતા.
(કૃષ્ણર્ષિ-ગચ્છ) કૃષ્ણર્ષિ-ગચ્છ થારપદ્ર (બટેશ્વર)-ગચ્છની જ શાખાના રૂપમાં ઉદિત (ઉદય) થયો. વિક્રમની નવમી સદીના પૂર્વાર્ધમાં કોઈ સમયે હારિલગચ્છના મહાતપસ્વી કૃષ્ણર્ષિએ પોતાના નામ પર કૃષ્ણર્ષિ-ગચ્છની સ્થાપના કરી. આ ગચ્છના સંસ્થાપક કૃષ્ણર્ષિ, કુવલયમાલાકાર ઉદ્યોતનસૂરિના ગુરુભ્રાતા (ગુરુભાઈ) અને હારિલગચ્છના છઠ્ઠા આચાર્ય તત્ત્વના શિષ્ય યક્ષમહત્તરના શિષ્ય હતા.
આચાર્ય કૃષ્ણર્ષિ ખૂબ જ ઉગ્ર તપસ્વી હતા. તેમના સંબંધમાં કહેવામાં આવે છે કે - “તેમની તપસ્યાનો ક્રમ નિરંતર ચાલતો જ રહેતો હતો. એક વર્ષમાં ફક્ત ૩૪ દિવસ જ ભોજન ગ્રહણ કરતા હતા. વર્ષના શેષ (બાકી) દશ મહિના અને છવ્વીસ દિવસ ઘોર નિરાહાર તપસ્યામાં જ પસાર થતા હતા. આ પ્રકારના ઘોર તપશ્ચરણના કારણે કૃષ્ણર્ષિને અનેક પ્રકારની સિદ્ધિઓ આપમેળે જ મળી ગઈ હતી.
કુળગુરુઓની વહીઓના (પોથી-પુસ્તકોના) ઉલ્લેખ અનુસાર કૃષ્ણષિએ વિ. સં. ૮૫૪ (શક સં. ૭૧૯)માં નાગૌરના શ્રેષ્ઠી નારાયણને જૈન-ધર્માવલંબી બનાવીને ઓસવાળોના બરડિયા-ગોત્રની સ્થાપના કરી. શ્રેષ્ઠી નારાયણે કૃષ્ણર્ષિની પ્રેરણાથી નાગૌરમાં એક જિનમંદિર . બનાવડાવીને તેમાં ભગવાન મહાવીરની મૂર્તિની પ્રતિષ્ઠાપન કરાવડાવી. કૃષ્ણષિએ મંદિરની સુવ્યવસ્થા અને સુરક્ષા માટે ૭૨ ગણમાન્ય શ્રાવકોની એક વ્યવસ્થા સમિતિનું ગઠન કરાવ્યું. - કૃષ્ણર્ષિએ અનેક અજૈનોને જૈન અને શ્રદ્ધાળુ શ્રાવક બનાવ્યાં. તેમણે તીર્થકરોની કલ્યાણક ભૂમિઓની યાત્રાઓ કરી, અનેક સંઘ યાત્રાઓનું આયોજન કરાવ્યું અને તેમની પ્રેરણાથી અનેક મંદિર બન્યાં. જેન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૩) 9639696969696969696969, ૧૮૯