________________
એને મહાધવલાના નામથી પણ ઓળખવામાં આવે છે. પખંડાગમના આ છઠ્ઠા ખંડની રચના ભૂતબલિએ કરી છે. મહાબંધ નામના આ છઠ્ઠા ખંડનો સરવાળો ૩૦૦૦૦ શ્લોક પ્રમાણ છે.
પખંડાગમ' પર ધવલા નામની ટીકાની રચના પૂરી થયા બાદ આચાર્ય વીરસેને કષાયપાહુડ પર જયધવલા નામની ટીકાની રચનાનો પ્રારંભ કર્યો. તેઓ જયધવલા ટીકાના ૨૦૦૦૦ શ્લોક-પ્રમાણની જ રચના કરી શક્યા હતા, ત્યાં જ તેમનો સ્વર્ગવાસ થઈ ગયો. તેની પૂર્ણાહુતિ વીરસેનના પટ્ટધર શિષ્ય જિનસેને વિ. સં. ૮૯૪માં કરી.
આ સંયોગની વાત છે કે, સેનગણમાં લગાતાર ત્રણ-ચાર પેઢીઓ સુધી વિદ્વાન ગ્રંથકાર થતા રહ્યા અને પોતાના ગુરુ દ્વારા આરંભેલું, પણ દેવવશાત્ અધૂરાં કાર્યો પૂરાં કરતા રહ્યાં. વીરસેને જયધવલાની રચના શરૂ કરી દીધી હતી, પરંતુ ૨૦૦૦૦ શ્લોક-પ્રમાણ જ આ ટીકાની રચના કરી શક્યા હતા; ને ત્યાં જ તેમનો સ્વર્ગવાસ થઈ ગયો. તેમના શિષ્ય જિનસેને ૪0000 શ્લોક પ્રમાણ તેનાથી આગળની ટીકાઓની રચના કરીને પોતાના ગુરુ વીરસેન દ્વારા શરૂ કરાયેલ કાર્યને પૂરું કર્યું.
એ જ પ્રમાણે આચાર્ય જિનસેને પાશ્ચમ્યુદય, જયધવલા વગેરેની રચના પછી મહાપુરાણની રચનાનો પ્રારંભ કર્યો. મહાપુરાણનો પૂર્વાર્ધ આદિપુરાણ', સંપૂર્ણ કરતાં પહેલા જ તેમનો સ્વર્ગવાસ થઈ ગયો. જિનસેને “આદિપુરાણ'ના ૪૭ પર્વ અને ૧૨000 શ્લોકોમાંથી ૪૨ પર્વ પૂરા અને ૪૩મા સર્ગના ફક્ત ૩ શ્લોક જ લખ્યા હતા; બાકી ૪પર્વના ૧૬૨૦ શ્લોકો તેમના વિદ્વાન શિષ્ય ગુણભદ્ર લખીને “આદિપુરાણ'ને પૂર્ણ કર્યું અને મહાપુરાણના ઉત્તરાર્ધ ઉત્તરપુરાણની રચના કરી. આ રીતે ગુણભદ્ર પોતાના ગુરુ જિનસેનનાં અધૂરાં રહી ગયેલાં કામ પૂરાં કર્યા.
એ જ પ્રમાણે કદાચ ગુણભદ્ર પણ ઉત્તરપુરાણનો છેલ્લો ભાગ અને તેની પ્રશસ્તિ પૂર્ણ નહોતા કરી શક્યા ને તેમનો સ્વર્ગવાસ થઈ ગયો અને તેમના શિષ્ય લોકસેને તેમનાં અધૂરાં રહેલાં કાર્યોને પૂર્ણ કર્યા.
(આચાર્ય જિનસેન) દિગંબર ભટ્ટારક પરંપરાના પંચસ્તૂપાન્વય - સેનગણના ધવલાકાર આચાર્ય વિરસેનના શિષ્ય જિનસેન વી. નિ.ની ચૌદમી શતાબ્દીના યશસ્વી ગ્રંથકાર હતા. જયધવલા પ્રશસ્તિના શ્લોક સં. ૨૨ અનુસાર | ૧૮૬ 9696969696969696969696 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)