SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ યુગમયાતાયા થી માર સંભૂતિ જન્મ : વી. નિ. સં. ૧૨૬૦ દીક્ષા : વી. નિ. સં. ૧૨૭૦ સામાન્ય મુનિપર્યાય : વી. નિ. સં. ૧૨૭૦ - ૧૩૦૦ યુગપ્રધાનાચાર્યકાળ : વી. નિ. સં. ૧૩૦૦ - ૧૩૬૦ સર્જાયું : ૧૦૦ વર્ષ, ૫ મહિના અને પદિવસ દુસમાં સમણ સંઘ થયું અને તેની અવચૂરીનાં દ્વિતીયોદય યુગપ્રધાન મંત્રમુ’ના ઉલ્લેખાનુસાર આચાર્ય સંભૂતિને તેત્રીસમા અને માઢર સંભૂતિને ચોત્રીસમા યુગપ્રધાન આચાર્ય માનવામાં આવ્યા છે. પરંતુ “તિત્વોગાલી પન્નયના ઉલ્લેખાનુસાર માઢર સંભૂતિ તેત્રીસમા અને સંભૂતિ ચોત્રીસમા યુગપ્રધાન આચાર્ય હતા. શ્રમણ શ્રેષ્ઠ સંભૂતિના વિ. નિ. સં. ૧૩૫૦ અથવા ૧૩૬૦માં સ્વર્ગસ્થ થતાં જ “સ્થાનાંગ સૂત્ર'ના બૃહદાકારનો નાશ, સંકોચન અથવા વ્યવચ્છેદ થઈ ગયો. (આચાર્ય વીરભદ્ર) , વી. નિ.ની તેરમી સદીના પૂર્વાર્ધમાં વીરભદ્ર નામના એક આચાર્ય થઈ ગયા. કુવલયમાલાના ઉલ્લેખથી તેમના સંબંધમાં એટલો જ પરિચય મળે છે કે તેઓ પોતાના સમયના સિદ્ધાંતોના મર્મજ્ઞ વિદ્વાન આચાર્ય હતા, અને ઉદ્યોતનસૂરિએ જાલોરમાં રહીને તેમની પાસે સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો. તેમના સંબંધમાં એ પણ પ્રચલિત છે કે - “જાબાલિપુર(જાલોર)માં ભગવાન ઋષભદેવનું વિશાળ અને ભવ્ય મંદિર તેમના ઉપદેશથી બનાવવામાં આવ્યું. - આચાર્ય વિરભદ્રસૂરિએ કુવલયમાલાકાર ઉદ્યોતનસૂરિને શાસ્ત્રોનો અભ્યાસ કરાવ્યો. આથી એ પ્રમાણિત થાય છે કે - યાકિની મહત્તરા સૂનુ આચાર્ય હરિભદ્રસૂરિના સમકાલીન અને કદાચ પૂર્ણ રૂપેણ વયોવૃદ્ધ આચાર્ય હતા.” એવું અનુમાન કરવામાં આવે છે કે, આચાર્ય હરિભદ્રસૂરિએ જે સમયે મહાનિશીથનો પુનરુદ્ધાર કર્યો, તે સમયે આગમોના તલસ્પર્શી જ્ઞાતા આચાર્ય વીરભદ્રસૂરિ સ્વર્ગસ્થ થઈ ગયા હોય. આ પ્રમાણેની પરિસ્થિતિમાં આચાર્ય વિરભદ્રસૂરિના સમયના સંબંધમાં કુવલયમાલાના ઉલ્લેખ તથા ધારણાના આધારે ફક્ત એટલું [ ૧૮૨ 9999999999) જૈન ધર્મનો મોલિક ઇતિહાસ (ભાગ-૩)
SR No.005687
Book TitleJain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages290
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy