________________
સત્તા-સંપન્ન કેન્દ્રીય સત્તાની સ્થાપના કરવા માંગતો હતો, બિલકુલ તેવી જ રીતે યશોવર્મન પણ ભારતની ઉત્તરીય સીમાની પેલે પારથી આરબોના ભારત પર વધતાં દબાણને જોઈને, વિદેશીઓથી પોતાની જન્મભૂમિ ભારતની કાયમી સુરક્ષા માટે એક શક્તિશાળી કેન્દ્રીય સત્તાની સ્થાપના કરવા માંગતો હતો. - ચીનના રાજકીય અભિલેખોમાં ઉલ્લેખ છે કે - “ભારતના મધ્યદેશના રાજા થી-શા-કૂમોએ ઈ.સ. ૭૩૧માં પોતાનું એક પ્રતિનિધિ મંડળ ચીનના સમ્રાટ પાસે એ વિનંતી સાથે મોકલ્યું કે - ‘ઉત્તરથી આરબો અને તિબેટવાસીઓનું ભારત પર નિરંતર દબાણ વધી રહ્યું છે. ભારતની રક્ષા માટે ચીનના સમ્રાટ તરફથી તમામ રીતે યોગ્ય મદદ આપવામાં આવે.” “રાજતરંગિણી'ના અનુવાદમાં
સ્ટેન” દ્વારા કરવામાં આવેલા ઉલ્લેખ અનુસાર કાશ્મીરના રાજા લલિતાદિત્યે પણ ઈ.સ. ૭૩૬માં ચીનના સમ્રાટ પાસે પોતાના પ્રતિનિધિ મોકલીને વિનંતી કરી કે - “કાશ્મીર પર આરબવાસી અને તિબેટવાસીઓનાં વધતાં જતાં દબાણને રોકવા માટે તેમને સૈનિક સહાય આપવામાં આવે.' લલિતાદિત્યે ચીનના સમ્રાટને એ પણ વિનંતી કરી કે - “આરબો અને તિબેટવાસીઓના ભારત તરફ વધતા પગલાને રોકવા માટે તે પોતે અને યશોવર્મન સંયુક્ત રીતે પ્રયાસ કરી રહ્યા છે.”
ઐતિહાસિક ઘટનાક્રમ એ વાતનો સાક્ષી છે કે ઈ.સ. ૭૩૪૭૩૫માં આરબોએ સિંધથી જોડાયેલી ગુજરાત સીમાઓથી ઘૂસણખોરી કરીને કનૌજ, ઉજ્જૈન વગેરે તરફ આગળ વધવાની ઇચ્છાથી સૈનિક કાર્યવાહી કરવાની શરૂઆત કરી. જે મને ચાલુક્યરાજ વિક્રમાદિત્ય દ્વિતીયના ગુજરાત પ્રદેશના પ્રશાસક પુલકેશિન અને રાષ્ટ્રકૂટવંશી રાજા દંતિદુગે યુદ્ધમાં હરાવીને પાછા સિંધ તરફ ભાગી જવા માટે મજબૂર કરી દીધા. તે સમયે રાજા યશોવર્મન અને લલિતાદિત્યની વચ્ચેનો મનમુટાવ(મનદુઃખ-મતભેદ) સંઘર્ષનો રૂપ ધારણ કરી ગયો. ડૉ. પી. સી. બાગચી અનુસાર યશોવર્મને ચીનના જિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 2696969696969696969693 ૧૦૩]