________________
મોટું અપમાન થશે.' આવું બધું હોવા છતાં પણ બપ્પભટ્ટી જેવા કવીશ્વર, મુનીશ્વરના કાવ્યામૃતનું પાન તેમજ તેમના સાંનિધ્યનો આ સ્વર્ણિમ અવસર અમે ખોવા નથી માંગતા. આવી સ્થિતિમાં બપ્પભટ્ટીને અહીં રહેવા માટેની પ્રાર્થનાની સાથોસાથ નિવેદન કરવું કે ‘આમરાજના સાધારણ આમંત્રણમાત્રથી તેઓ અમને છોડીને પાછા નહિ જાય. આમરાજ પોતે, આપને પોતાના ત્યાં લઈ જવા માટે ધર્મ નૃપની સામે અહીં રાજસભામાં ઉપસ્થિત થઈને કહે, તો જ આપ કાન્યકુબ્જ પાછા જશો, અન્યથા નહિ.’
મુખ્યકવિ વાતિરાજ બપ્પભટ્ટીની સેવામાં ઉપસ્થિત થઈ ગૌડરાજ રાજા ધર્મની તરફથી લક્ષણાવતી નગરીમાં પધારવા માટેની ગૌડરાજના જ શબ્દોમાં પ્રાર્થના કરી. આચાર્ય બપ્પભટ્ટીએ તે પ્રાર્થનાનો અક્ષરશઃ યથાવતરૂપે સ્વીકાર કર્યો. આ સાંભળી રાજા ધર્મના હર્ષનો પાર ન રહ્યો.
રાજા ધર્મ આચાર્યશ્રીનો લક્ષણાવતી નગરીમાં પ્રવેશ કરાવ્યો અને તેમને યોગ્ય સ્થળે ઉતારો આપ્યો. રાજસભાના સભ્યો તથા નગરજનોની સાથે મહારાજા ધર્મ બપ્પભટ્ટીના ઉપદેશામૃતનું પાન કરતાં-કરતાં સુખપૂર્વક રહેવા લાગ્યા. આચાર્યશ્રીના ધર્મોપદેશથી ગૌડ પ્રદેશમાં પણ જિનશાસનનો પર્યાપ્ત પ્રચાર-પ્રસાર થયો.
ત્યાં બીજા દિવસે સવારે બપ્પભટ્ટી સૂરિને ન જોઈ આમરાજે નગરમાં, નગર બહાર ઉદ્યાનોમાં શોધ કરવા માટે પોતાના અનુચરોને મોકલ્યા, પણ તેઓ ક્યાંય ન મળ્યા. બીજા દિવસે રાજા આમ પોતે એકલા જ પરોઢિયે સૂર્યોદયથી ખૂબ પહેલાં નગરની બહાર આવેલા ઉદ્યાનો તરફ તેમને શોધવા માટે નીકળી ગયા. એક-એક કરીને તેણે બધાં ઉદ્યાનોને છૂંદી નાખ્યા, પણ તેને બપ્પભટ્ટી ક્યાંય નજર ન આવ્યા. બપ્પભટ્ટીનો વિયોગ તેના હૃદયમાં કાંટાની જેમ ખટકવા લાગ્યો. તેણે સ્પષ્ટ અનુભવ કર્યો કે - ‘બપ્પભટ્ટી વગર તેની રાજસભા કે રાજપ્રાસાદ જ નહિ, પરંતુ તેનું જીવન પણ શૂન્ય છે.’
તેણે બપ્પભટ્ટીને શોધી કાઢવાનો દૃઢ સંકલ્પ કર્યો. વિચાર કરતાકરતા છેવટે તેણે એક ઉપાય શોધી કાઢવો. આમરાજે એક પટ્ટ પર એક સમસ્યા(કોયડો) શસ્ત્ર શાસ્ત્ર કૃષિર્વિધા, અન્યો યો યેન જીવતિ । ૩ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
૧૬૦ ૩૩૩