________________
આગ્રહ કર્યો. તેણે તે સમયે વરદાન ન માંગીને મહારાજ પાસે પોતાની અમાનત રૂપે તે વરદાન માંગવાનું બાકી રાખ્યું. મને ગર્ભવતી જોઈને મારી સૌક્યારાણી ઈર્ષાવશ મારા ગર્ભસ્થ શિશુનું જીવન ધૂળધાણી કરવા માટે કટિબદ્ધ થઈ ગઈ. તેણે મહારાજ પાસેથી પોતાને લેવાના વરદાનની માગણી કરી અને પરિણામ સ્વરૂપ મહારાજે મને કાન્યકુબ્ધ રાજ્યમાંથી દેશવટો આપી દીધો. મને બચપણથી આત્મસન્માન પ્રાણોથી પણ વધુ વહાલું રહ્યું છે. એટલે સાસરિયાથી હાંકી કાઢયા બાદ પિતૃગૃહે જવાને બદલે જંગલનું શરણું લેવાનું મેં વધુ યોગ્ય સમયેં. આ જ કારણ છે કે હું આત્મસન્માન સાથે સ્વાવલંબી જીવન જીવી રહી છું.”
મેં તેને સાંત્વના આપતા તે સમયે કહ્યું હતું કે – “વત્સ! નગરના અમારા ચૈત્યમાં આવીને ત્યાં રહો, ત્યાં ચૈત્યની સેવા અને આ પુણ્યશાળી મહાપ્રતાપી પુત્રનો ઉછેર કરતાં-કરતાં થોડા સમય માટે તમારા આવનારા સારા દિવસોની પ્રતીક્ષા કરો.”
મારી સલાહનો સ્વીકાર કરી પોતાના પુત્રને લઈને તે અમારી સાથે જ નગરમાં આવી ગઈ હતી અને ચૈત્યની સેવામાં લાગી ગઈ હતી. બીજા દિવસે અમે તે નગરથી અન્યત્ર વિહાર કરી ગયા. થોડા સમય પછી વિહારકાળ દરમિયાન અમને સાંભળવા મળ્યું કે - “રાજરાણીને નિર્વાસિત કરાવવાવાળી સૌક્યારાણીનું તેની સૌક્યારાણીઓ દ્વારા કરવામાં આવેલ જયંત્રના કારણે નિધન થઈ ગયું છે અને કોન્યકુન્ધરાજ યશોવર્માએ પોતાના ગુપ્તચરો દ્વારા શોધ કરાવીને મહારાણી અને રાજકુમારને આદરપૂર્વક અમારા ચૈત્યમાંથી પાછા બોલાવીને પોતાના રાજમહેલમાં ફરીથી રાખી લીધાં છે.
પોતાના સ્મૃતિપટલ પર ઊભરી આવેલી આ પૂર્વ ઘટનાના સંદર્ભમાં આચાર્યશ્રીને મનોમન વિશ્વાસ થઈ ગયો કે - “તેમણે જંગલવાસી રાજરાણીના જે નાના શિશુને પીલૂડાનાં વૃક્ષોના ઝૂંડની છાંયામાં એક ઝોળીમાં જોયું હતું, તે જ આ રાજકુમાર હોવો જોઈએ.”
આ પ્રમાણે વિચાર કરીને આચાર્ય સિદ્ધસેને સુધાસિક્ત સ્વરમાં તે બાળકને સંબોધિત કરતાં કહ્યું : “વત્સ ! નિશ્ચિત થઈ તમારા મિત્ર મુનિની પાસે રહી, તેમની પાસે બધા પ્રકારની કળાઓ અને વિદ્યાઓનું લગનપૂર્વક યથાયોગ્ય અભ્યાસ કરો.” જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 6969696969696969696963 ૧૫૫ ]