________________
જૈન ધર્મ ઉપર બીજું રાષ્ટ્રવ્યાપી સંકઢ
એ આગળ જણાવી દેવામાં આવ્યું છે કે - જૈન ધર્મ પર પ્રથમ સંકટ ઈસાની સાતમી શતાબ્દીના પૂર્વાર્ધમાં પલ્લવરાજ કાંચીપતિ મહેન્દ્રવર્મન પ્રથમ અને મદુરાના શાસક સુંદર પાંડ્યના શાસનકાળમાં આવ્યું. જૈનસંઘ પર આવેલ તે સંકટ માત્ર તમિલ પ્રાંત સુધી જ સીમિત રહ્યું.
જૈન ધર્મ પર બીજું સંકટ લગભગ ઈ.સન ૭૦૦થી શરૂ થયું. કુમારિલ્લ ભટ્ટ અને શંકરાચાર્ય જેવા દિગ્વિજયો દ્વારા આ સંકટ સુસંગઠિત, સુનિયોજિત અને દેશવ્યાપી હતું.
શંકરાચાર્યે ભારતવર્ષના પૂર્વથી પશ્ચિમ તથા દક્ષિણથી ઉત્તર સુધી દિગ્વિજયનું અભિયાન ચલાવીને ચારે દિશાઓમાં ચાર શંકરાચાર્યપીઠોની સ્થાપના કરી. આ ચારેય મઠ અથવા શંકર પીઠોના અધિકારી પોત-પોતાની પીઠોના નક્કી કરેલા પરિધિમાં (વિસ્તારમાં) નિરંતર ભ્રમણ કરતાં-કરતાં સુદીર્ઘકાળ સુધી અદ્વૈત અથવા બ્રહ્માદ્વૈત વૈદિક ધર્મનો પ્રચાર કરતા રહેતા. તેમનું એકમાત્ર ધ્યેય બીજી અન્ય માન્યતાઓ તથા સિદ્ધાંતોનો વિકાસ નહિ થવા દેવાનો હતો, પછી ભલે તે માન્યતાઓ બૌદ્ધ, જૈન વગેરે વેદેતર હોય અથવા ન્યાયિક, સાંખ્ય, મીમાંસક વગેરે જૈતાદ્વૈત સિદ્ધાંતોનો પ્રચાર કરવાવાળી વૈદિક પરંપરાના નામ ધરાવવાળી માન્યતાઓ કેમ ન હોય.
લગભગ ૧૨૫૦ વર્ષ પહેલાં શંકરાચાર્ય દ્વારા ભારતવર્ષની સારેય દિશઓમાં સ્થાપિત ચારેય મઠ આજે પણ વિદ્યમાન છે. આ મઠ શંકરાચાર્ય દ્વારા નિર્ધારિત લક્ષ્યપૂર્તિ માટે ગતિશીલ છે. વૈદિક ધર્મના પ્રચાર-પ્રસાર માટે વૈદિકેત્તર ધર્મો વિરુદ્ધનું અભિયાન, શંકરથી ઉમરમાં લગભગ એંશી (૮૦) વર્ષ મોટા કુમારિલ્લ ભટ્ટે શરૂ કર્યું. ઈસાની સાતમી શતાબ્દીના અંતિમ દશકમાં તેમજ આઠમી શતાબ્દીના પ્રથમ દશકમાં આ અભિયાન શરૂ કરવામાં આવેલું.
કુમારિલ્લના સમયમાં ભારતના વિભિન્ન પ્રાંતોમાં, ખાસ કરીને દક્ષિણમાં કર્ણાટક વગેરે પ્રાંતોમાં જૈન ધર્મનું વર્ચસ્વ હતું અને પ્રમાણમાં જૈનોની સંખ્યા વધારે હતી. ત્યાં જૈન ધર્મ રાજમાન્ય, બહુજનસંમત અને લોકપ્રિય ધર્મ હતો. પોતાના સિદ્ધાંતોના પ્રચાર-પ્રસારમાં જૈન જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) ૩૭ ૩૭૭૭૭, ૧૩૩