________________
પહોંચ્યા. ત્યાંથી તેઓ પોતાની વિદ્યાની ભૂખ શાંત કરવા માટે પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠમાં ગયા અને તે વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવી લીધો. ત્યાં ખાન-પાન, રહેવા-કરવા વગેરેની તમામ વ્યવસ્થા અતિ ઉત્તમ હતી. કુશાગ્ર બુદ્ધિવાળા બંને મેધાવી ભાઈઓ ખૂબ આનંદની સાથે પોતાના ઇચ્છિત બૌદ્ધ-તર્કશાસ્ત્રના અધ્યયનમાં મગ્ન થઈ ગયા. જેનદર્શનના ખંડન માટે, જે-જે તર્ક બૌદ્ધાચાર્યો દ્વારા આપવામાં આવતા હતા, તે તર્કોને નિરસ્ત કરવાવાળા અને જૈન સિદ્ધાંતોની શાશ્વત સત્યતાને સિદ્ધ કરવાવાળા પોતાના પૂર્વમાં ભણેલા આગમ-પાઠોથી પરિપુષ્ટ અનેક અકાદ્ય પ્રતિતક, યુકિતઓ અને પ્રમાણોને તે બંને ભાઈ અલગ-અલગ પૃષ્ઠો પર લિપિબદ્ધ કરવા લાગ્યા. આ પ્રમાણે તેમના દ્વારા ગુપ્તરૂપે લખીને જે પૃષ્ઠ એકત્રિત કરેલાં હતાં, તેમાંથી બે પૃષ્ઠ એક દિવસ સંજોગવશ આવેલા વંટોળિયાની હવામાં ઊડીને બૌદ્ધ વિદ્યાર્થીઓના હાથે લાગી ગયા. તેમણે તે પૃષ્ઠ વાંચ્યાં અને પોતાના ગુરુના હાથમાં મૂકી દીધાં. જ્યારે વિષયથી સંબંધિત બૌદ્ધાચાર્યે એ પૃષ્ઠ વાંચ્યાં તો તેમાં લખેલા સિદ્ધાંતોના આધારે પોતાનો પક્ષ નિર્બળ અને જેને પક્ષ સબળ થઈ જવાની આશંકાથી તેઓ વ્યાકુળ થઈ ગયા.
આશ્ચર્યચકિત થઈને બૌદ્ધાચાર્યે કહ્યું : “કોઈ ને કોઈ જૈન ધર્મનો ઉપાસક અત્યંત મેધાવી છાત્ર અહીં આપણી વિદ્યાપીઠમાં છે; અન્યથા જે તર્કજાળોનું ખંડન મેં કરી નાખ્યું હોય, તેનું ખંડન કરવામાં બીજું કોણ સમર્થ હોઈ શકે છે ?”
બૌદ્ધાચાર્ય વિચારમાં મગ્ન થઈ ગયા કે - પોતાની બૌદ્ધ વિદ્યાપીઠમાં આવેલ તે જૈન વિદ્યાર્થીઓને, શું ઉપાય કરવાથી ઓળખી શકાય.” અંતમાં યુક્તિ-પ્રયુક્તિથી બૌદ્ધાચાર્ય એ શોધી કાઢ્યું કે તે વિદ્યાર્થીઓ હંસ અને પરમહંસ છે, જેમને તેઓ શોધી રહ્યા છે. નિશ્ચિતરૂપે પોતાના પ્રાણ સંકટમાં આવશે, એ વાત જાણીને બંને ભાઈઓએ પોતાની જાતને છત્રીથી બાંધી લીધા અને તરત જ છત્રી ખોલીને સૈનિકની જેમ ઉપરથી નીચે કૂદી પડ્યા અને ખૂબ સહેલાઈથી ધરતી પર ઊતરતા જ ત્યાંથી ભાગ્યા. ૧૨૪ 3603603293300002ન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)