SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રકારે જીવનના અંતિમ સમય સુધી જિનશાસનની ઉલ્લેખનીય સેવા કરતાં યુગપ્રધાનાચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ૧૦૪ વર્ષ, ૬ માસ અને ૬ દિવસનું આયુષ્ય પૂરું કરી વી. નિ. સં. ૧૧૧૫માં સ્વર્ગસ્થ થયા. (જિનભદ્રગણિ-કાળના વિશિષ્ટ આચાર્ય) ૧. સિદ્ધસેન ક્ષમાશ્રમણ : જિનભદ્રગણિના યુગપ્રધાનાચાર્ય - કાળમાં સિદ્ધસેન ક્ષમાશ્રમણ નામના એક વિશિષ્ટ પ્રતિભાશાળી આચાર્ય થયા. તે જિનભદ્રગુણિને ગુરુની જેમ સન્માન કરતા હતા. એમણે “જતકલ્પ ચૂર્ણિ” અને “નિશીથ ભાષ્ય'ની રચના કરી. તે જિનભદ્રગણિના સાક્ષાત્ શિષ્ય અથવા સમકાલીન લઘુવયસ્ક આચાર્ય હોય, એવું અનુમાન કરવામાં આવે છે. ૨. કોટ્યાચાર્ય : જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના યુગપ્રધાનાચાર્ય કાળમાં કોટ્યચાર્ય નામના એક વિદ્વાન આચાર્ય થયા. જેમકે - ઉપર જણાવી દેવામાં આવ્યું છે કે કોટ્યાચાર્યે જિનભદ્રગણિના વિશેષાવશ્યક ભાષ્યની અપૂર્ણ સ્વોપજ્ઞ વૃત્તિને ૧૩૭૦૦ શ્લોકપરિમાણમાં પૂરી કરી. એમ માનવામાં આવે છે કે કોટ્યાચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના જ શિષ્ય હતા અને તેમણે નિરંતર પોતાના ગુરુની સેવામાં રહીને શ્રુત ઉપાસનામાં અંતિમ દિવસો સુધી એમને સહયોગ કર્યો. (જિનભદ્રગણિ-કાળના ગ્રંથકાર ) ત્રીસમા યુગપ્રધાનાચાર્ય જિનભદ્રગણિના કાળમાં વિ. નિ. સં. ૧૦૭૦માં નાગેન્દ્રગચ્છની સ્થાપના થઈ. કોટ્યાચાર્યની જેમ જ એ કાળમાં નીચે મુજબ અન્ય ગ્રંથકાર થયા : ૧. સિંહગણિ (સિંહસૂરિ) ઃ એમણે નયચક્ર ટીકા' નામના દર્શનિક આ ગ્રંથની રચના કરી. ૨. કોટ્ટાચાર્ય : તે કોસ્યાચાર્યથી અલગ ઉત્તરકાલવર્તી વિદ્વાન - આચાર્ય હતા. એમણે “વિશેષાવશ્યક ભાષ્ય” પર ટીકાની રચના કરી. કોટ્ટાચાર્યનો સમય વિક્રમની આઠમી સદીના પૂર્વાર્ધનો માનવામાં આવે છે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) 2696969696969696969699 ૧૦૩ |
SR No.005687
Book TitleJain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages290
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy