________________
તીર્થંકર મહાવીર દ્વારા અર્થ-રૂપમાં કહેવાયેલી વાણીને ઇન્દ્રભૂતિ વગેરેએ સૂત્રરૂપમાં ગ્રંથિત કરી દ્વાદશાંગીની રચના કરી. હવે અહીં સહેજ જ એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જ્યારે ભગવાન મહાવીરના ગણધર ૧૧ છે, તો એમના ગણ ૯ જ શા માટે ?
વસ્તુસ્થિતિ એ છે કે ૧૧ ગણધરોની શાસ્ત્ર વાચના ૯ પ્રકારની રહી હતી. ઇન્દ્રભૂતિ આદિ પ્રથમ ૭ ગણધરોની પ્રત્યેકની પૃથક્ વાચના હોવાના કારણે પ્રત્યેકના સાધુ સમુદાયની પૃથક્ ગણના રૂપમાં ગણના કરવામાં આવી. પણ ૮મા અને ૯મા ગણધર-અકંપિત અને અચલભ્રાતાની સમાન વાચના હતી. એ જ પ્રકારે ૧૦મા અને ૧૧મા ગણધર મેતાર્ય અને પ્રભાસ આ બંનેની વાચના પણ એક હતી. અતઃ વાચનાના સામ્યથી અંતિમ ચાર ગણધરોમાંથી બે-બે ગણની એક-એક વાચના હોવાથી ૧૧ ગણધરોના ૯ ગણ કહેવાયા.
ચૂર્ણીકારે લખ્યું. છે કે - ‘આર્ય સુધર્મા અન્ય ગણધરોની અપેક્ષા દીર્ઘજીવી છે અને એમની દ્વારા આગળ ધર્મતીર્થ ચાલશે, એવું જાણી પ્રભુએ એમના માટે ‘ગણની અનુજ્ઞા’ આપી અને ઇન્દ્રભૂતિને દ્રવ્ય, ગુણ, પર્યાયોથી ‘તીર્થની અનુજ્ઞા' આપી. અર્થાત્ ઇન્દ્રભૂતિને તીર્થનાયક અને સુધર્માને ગણનાયકના સમ્મલિત પદ ઉપર સ્વયં પ્રભુએ પોતે જ અભિષિક્ત(નિયુક્ત) કર્યા.'
જૈન વાડ્મયમાં આ પ્રકારનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે કે - ‘સુધર્માની અપેક્ષાએ શેષ ગણધર અલ્પાયુ હતા અને તેઓ પોતાની પાછળ પોતપોતાના ગણની વ્યવસ્થા સંભાળવાનું કામ સુધર્માને સોંપીને સિદ્ધ-બુદ્ધ અને મુક્ત થયા હતા.’
ઇન્દ્રભૂતિનું ઉચ્ચતમ
વ્યક્તિત્વ
વ્યક્તિનું મહત્ત્વ ધન, વૈભવ અથવા કોઈ ઉચ્ચપદથી નહિ, પરંતુ એના ઉચ્ચ વ્યક્તિત્વથી થાય છે. ભગવતી સૂત્ર, ઉપાસક દશાંગ અને અન્ય ગ્રંથોમાં ઇન્દ્રભૂતિ ગૌતમના વિરાટ અને ઉત્કૃષ્ટ વ્યક્તિત્વનો પરિચય આપવામાં આવ્યો છે.
ભગવાન મહાવીરના જ્યેષ્ઠ અંતેવાસી ઇન્દ્રભૂતિ અણગાર ઉગ્રતપ, દીપ્તતપ, તપ્તતપ અને મહાતપના ધારક હતા. ઘોર ગુણી અને ઘોર બ્રહ્મચારી હતા. શરીરથી મમતારહિત, તપની સાધનાથી પ્રાપ્ત તેજોલેશ્યાજૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) GIDC
00 ૪૯