________________
આચાર્ય દેવદ્ધિક્ષમાશ્રમણ શ્રમણ ભગવાન મહાવીરના ધર્મશાસનમાં થયેલ મહાન આચાર્યોમાંના અઠ્યાવીસમા વાચનાચાર્ય આર્ય દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણનું સ્થાન અત્યંત મહત્ત્વપૂર્ણ છે. વિ. નિ. સં. ૯૮૦માં ભવિષ્યદ્રષ્ટા આચાર્ય દેવદ્ધિ ક્ષમાશ્રમણે વલ્લભી નગરીમાં શ્રમણ સંઘનું સંમેલન યોજ્યુ. એમાં એમણે આગમ-વાચના દ્વારા દ્વાદશાંગીના ભુલાયેલા પાઠોને સુવ્યવસ્થિત, સુસંકલિત તેમજ સુગઠિત કર્યા, એટલું જ નહિ ભવિષ્યમાં હરહંમેશ માટે કોઈ પણ જાતની પરિહાનિ વગર એ આગમ ભંથાવતુ રહે, એ અભિપ્રાયથી એકાદશાંગી સહિત બધાં સૂત્રોને પુસ્તકોના રૂપમાં લિપિબદ્ધ કરાવી અપૂર્વ દૂરદર્શિતાનો પરિચય આપ્યો. એમના વડે કરાયેલા આ અનિર્વચનીય અપૂર્વ ઉપકાર પ્રત્યે પંચમ આરકની સમાપ્તિ સુધી અખંડ રૂપે ચાલી રહેલો પ્રભુ મહાવીરનો ચતુર્વિધ સંઘ સંપૂર્ણ રૂપે ઋણી રહેશે.
સૌરાષ્ટ્ર પ્રાંતના વેરાવળ પાટણમાં એમનો જન્મ થયો. એ સમયે ત્યાંના રાજા અરિદમન હતા. એમના ઉચ્ચાધિકારી કાશ્યપ-ગોત્રીય કામદ્ધિ ક્ષત્રિયની પત્ની કલાવતીની કુખેથી દેવદ્ધિનો જન્મ થયો. તેઓ પૂર્વજન્મમાં હરિણગમેષી દેવ હતા. માતાના ગર્ભમાં જ્યારે એમણે પ્રવેશ કર્યો, ત્યારે ગર્ભના પ્રભાવ હેઠળ કલાવતીએ સ્વપ્નમાં ઋદ્ધિશાળી દેવને જોયા, આથી નામકરણ વખતે પુત્રનું નામ દેવદ્ધિ રાખવામાં આવ્યું. માતા-પિતાએ બાળક દેવદ્ધિને યોગ્ય શિક્ષક પાસે શિક્ષણ અપાવ્યું અને યુવાન થતા બે કન્યાઓ સાથે એનાં લગ્ન કરાવ્યાં. યુવક દેવદ્ધિ બાળપણની કુસંગતને લીધે આખેટ-ક્રીડાનો રસિયો બની ગયો અને મિત્રોની સાથે જંગલમાં જઈ શિકાર કરતો હતો.
નવા ઉત્પન્ન થયેલ હરિણગમેષી દેવ, દેવદ્ધિને સન્માર્ગે લાવવા માટે જાત-ભાતના ઉપાયો વડે સમજાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. એમના વડે પ્રતિબોધિત થઈ દેવદ્ધિએ આચાર્ય લોહિત્યની પાસે શ્રમણદીક્ષા અંગીકાર કરી. ગુરુની સેવામાં નિરંતર જ્ઞાનારાધના કરતા રહીને એમણે એક દશાંગી અને એકપૂર્વનું જ્ઞાન અજિત કરી લીધું. [ ૩૨૮ 2696969696969696969699 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨)