________________
આચાર્યપદ અપાયાની ખુશીના પ્રસંગે ઘણો અદ્ભુત મહોત્સવ ઉજવ્યો. આ સમયે આચાર્ય વજ પ૦૦ સાધુઓ સાથે વિચારી રહ્યા હતા.
દશપૂર્વધર આર્ય વજ સ્વામીએ પોતાના ગુરુ સિંહગિરિના અંતિમ દિવસોમાં ઘણી તન્મયતાથી એમની સેવા-સુશ્રુષા કરી. ગુરુદેવના સ્વર્ગે સિધાવ્યા પછી આચાર્ય વજ સ્વામીએ ઘણા સુચારુરૂપે સંઘનું સંચાલન કરતા જિનશાસનની સેવા કરી. વિવિધ પ્રદેશોમાં ધર્મનો પ્રચાર કરતા-કરતા એક વખત તેઓ પાટલિપુત્ર ગયા. ત્યાં નગરની બહાર એક બગીચામાં રોકાયા. એમના તાત્ત્વિક ઉપદેશોથી પોતાના માનસને અને દર્શન વડે આંખોને પવિત્ર કરવા માટે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ત્યાં ઊમટી પડ્યું. એમની અત્યંત રોચક અને અભુત વ્યાખ્યાનશૈલીથી પ્રભાવિત થઈ અનેક નર-નારીઓએ સમ્યકત્વ, વ્રત, નિયમો વગેરે ધારણ કરી પોતાનું આત્મકલ્યાણ સાધ્યું.
પાટલિપુત્ર નગરના રહેવાસી ધન નામના એક અપાર સમૃદ્ધ શ્રેષ્ઠીની પુત્રી રુકિમણીએ એમની વાહનશાળામાં રહેલી સાધ્વીઓના મોઢેથી આર્ય વજના ગુણોના વખાણ સાંભળ્યા. જ્યારે એણે અખંડ બ્રહ્મચર્યના અપૂર્વ તેજથી ઝગમગતા આર્ય વજના સૌમ્ય મુખમંડળને જોયું અને ઉપદેશ આપતી વખતની એમની અમૃતમય મધુર વાણીને સાંભળી, તો તે એમના પર મંત્રમુગ્ધ બની. એણે પ્રતિજ્ઞા લીધી - “જો આર્ય વજ મારા પતિ થાય તો હું આ સંસારમાં રહીશ, નહિ તો ભોગોને સંપૂર્ણપણે ત્યજી દઈશ.' કહેવામાં આવે છે કે રુક્મિણીએ એની સહેલીઓના માધ્યમે પોતાના પિતાને સંદેશો મોકલ્યો કે - “એણે વજ સ્વામીને પોતાના પતિના રૂપમાં વરી લીધા છે, આથી જો વજ સ્વામીની સાથે એનાં લગ્ન ન કરવામાં આવ્યાં તો તે ચોક્કસપણે અગ્નિમાં દેહવિલોપન કરી દેશે.”
પિતા પોતાની પુત્રીની દઢ પ્રતિજ્ઞા અને હઠ સારી રીતે જાણતો હતો. આથી તે પુત્રીની સહેલીઓના મોઢેથી એના આ દૃઢ નિશ્ચયની વાત સાંભળી ઘણો ગભરાયો. ઘણું વિચાર્યા પછી અનેક મોંઘાદાટ રત્ન અને પોતાની અનુપમ સુંદર પુત્રીને પોતાની સાથે લઈને એ બગીચામાં ગયો, જ્યાં આચાર્ય વજ સ્વામી એમના શિષ્યો સાથે વિરાજેલા હતા. શ્રેષ્ઠી ધને વજ સ્વામીને વંદન કર્યા પછી નિવેદન કર્યું ૨૦૯ 36363636363636363263 જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૨)