________________
રહ્યા. ટૂંક સમયમાં જ એમણે ગુરુ પાસે જેટલું આગમજ્ઞાન હતું, તે બધું ગ્રહણ કરી લીધું. ત્યાર પછી આચાર્યએ આર્ય વજને બાકીનાં શ્રુતશાસ્ત્રના અભ્યાસ માટે કોઈ સુયોગ્ય વિદ્વાન મુનિની સેવામાં મોકલવાનો વિચાર કર્યો. વિહારક્રમે એક દિવસ તેઓ દશપુર નામના નગરમાં પહોંચ્યા. ત્યાંથી એમણે આર્ય વજને અવંતી(ઉજ્જૈન)માં વિરાજેલા દશપૂર્વધર આર્ય ભદ્રગુપ્તની પાસે વિદ્યા માટે મોકલ્યા. ગુરુ આજ્ઞાને શિરોધાર્ય કરી આર્ય વજ મુનિ ઉગ્ર વિહાર કરતા અવંતી નગરમાં પહોંચ્યા. સાંજ પડી જવાના લીધે આર્ય વજે રાત નગરની બહાર જ એક સ્થળે વિતાવી.
સવાર પડતા આવશ્યક કાર્યોથી પરવારી મુનિ વજ દશપૂર્વધર આર્ય ભદ્રગુપ્ત પાસે જવા રવાના થયા. એ સમયે ભદ્રગુપ્ત પોતાના શિષ્યોને કહ્યું : “વત્સો ! મેં રાત્રે એક સપનું જોયું કે ખીરથી ભરેલું મારું પાત્ર એક સિંહ-બાળ (સાવઝ) આવીને પી ગયો અને જીભ વડે ચાટી ગયો. આ સ્વપ્નદર્શનથી એવું જણાય છે કે દશપૂર્વોનું જ્ઞાન મેળવવા માટે તત્પર કોઈ એક મહાન બુદ્ધિશાળી વ્યક્તિ આવવાની તૈયારીમાં છે.” *
- આર્ય ભદ્રગુપ્ત એમની વાત પૂરી કરી જ હતી કે મુનિ વજ એમની આગળ આવીને ઊભા રહ્યા અને ભક્તિભાવે વંદન-નમન કર્યા પછી પોતાના આગમનનું પ્રયોજન (કારણ બતાવતા શ્રુતશાસ્ત્રનું અધ્યાપન કરવાની પ્રાર્થના કરી. શરીરના હાવભાવ અને લક્ષણોથી વજ મુનિને સુયોગ્ય પાત્ર જાણી આર્યે એમને પૂર્વજ્ઞાનની વાચના આપવી શરૂ કરી. આમ દશપૂર્વોનું અર્થ સહિત અધ્યાપન કરાવ્યા પછી આર્ય ભદ્રગુપ્ત ફરી આર્ય સિંહગિરિની સેવામાં જવાની પરવાનગી આપી. વજ મુનિ પોતાના ગુરુની સેવામાં પાછા ફર્યા. આચાર્યો ખુશ થઈ દશપુરમાં આવી એમને વાચકપદે સુશોભિત કર્યા. " પોતાના પ્રિય શિષ્ય મુનિ વજને દશપૂર્વધરના રૂપમાં જોઈ સિંહગિરિએ પરમ સંતોષ મેળવ્યો અને પોતાના જીવનના સંધ્યાકાળને નજીક જાણી એમણે વી. નિ. સં. ૫૪૮માં આર્ય વજને પોતાના ઉત્તરાધિકારી રૂપે આચાર્યપદે પ્રસ્થાપિત કર્યા. બધાએ ભેગા મળીને આર્ય વજ સ્વામીને જિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) DE969696969696969696969 ૨૫ |