________________
'ચામાચાર્ય (કાલકાયાટ્ય પ્રથમ) જન્મ
: વી. નિ. સં. ૨૮૦ દીક્ષા
: વી. નિ. સં. ૩00 વાચનાચાર્ય/યુગપ્રધાનાચાર્ય : વી. નિ. સં. ૩૩૫ સ્વર્ગગમન
: વી. નિ. સં. ૩૭૬ ગૃહસ્થપર્યાય
: ૨૦ વર્ષ સામાન્ય સાધુપર્યાય, : ૩૫ વર્ષ આચાર્યકાળ
: ૪૧ વર્ષ કુલ આયુષ્ય
: ૯૬ વર્ષ નંદી સૂત્રની સ્થવિરાવલી'માં વાચનાચાર્ય સ્વાતિ પછી અનુક્રમે એમના જ શિષ્ય આર્ય શ્યામાચાર્યને તેરમા વાચનાચાર્ય માનવામાં આવ્યા છે. પ્રભાવક ચરિત્ર” તેમજ “કાલકાચાર્ય પ્રબંધ'માં શ્યામાચાર્યને આચાર્ય ગુણાકર પછીના બારમા યુગપ્રધાનાચાર્ય બતાવાયા છે. શ્યામાચાર્ય પોતાના સમયના દ્રવ્યાનુયોગના પ્રકાંડ વિદ્વાન હતા. નિગોદના વિશિષ્ટ વ્યાખ્યાનકારના રૂપમાં તેઓ વિખ્યાત થયા છે.
શ્યામાચાર્ય પન્નવણા સૂત્ર'ના પણ રચનાકાર છે. આ સૂત્ર ૩૬ પ્રકરણોમાં વિદ્યમાન છે. જીવાજીવાદિ સમસ્ત પદાર્થોના પ્રસ્તુતીકરણની દૃષ્ટિથી આ શાસ્ત્રને તત્ત્વજ્ઞાનનો અનુપમ ભંડાર કહી શકાય છે. જૈનદર્શનના ગહન તત્ત્વજ્ઞાનને સમજવા માટે આ સૂત્રનું અધ્યયન ઘણું મદદગાર માનવામાં આવ્યું છે. શ્યામાચાર્યને કાલકાચાર્ય(પ્રથમ)ના નામથી પણ ઓળખવામાં આવે છે. થોડા-થોડા સમયના અંતરે કાલભાચાર્ય નામવાળા ચાર આચાર્યો થયા. (આર્ય શ્યામના આચાર્યકાળની રાજનૈતિક ને ધાર્મિક સ્થિતિ)
તેરમા વાચનાચાર્ય અને બારમા યુગપ્રધાનાચાર્ય આમ બેવડાં પદોને શોભાવનારા આર્ય શ્યામના આચાર્યકાળમાં પુષ્યમિત્રએ વૈદિક ધર્મને રાજ્યાશ્રય આપ્યો, પરિણામે વૈદિક કર્મકાંડોનું પ્રભુત્વ વધ્યું. પુષ્યમિત્રે આશરે વી. નિ. સં. ૩૩૦ થી ૩૪૦ની વચ્ચેના ગાળામાં અશ્વમેધ યજ્ઞ કર્યો. ગ્રીક ઇતિહાસવિદો અનુસાર પુષ્યમિત્ર વડે કરાયેલા આ યજ્ઞનો સમય વી. નિ. સં. ૩૪૭ (ઈ.સ. પૂ. ૧૭૦)ની આજુબાજુનો રહેલો છે. ૨૧૮ 9696969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)