________________
૩. યુગપ્રધાન પરંપરા ઃ આ પરંપરાની અંતર્ગત યુગપ્રધાનાચાર્ય એમને જ બનાવવામાં આવતા હતા. જે વિશિષ્ટ પ્રતિભા અને યોગ્યતાને લીધે માત્ર જૈન ધર્મમાં જ નહિ, પણ બીજે પણ પ્રભાવશાળી વર્ચસ્વ ધરાવતા હતા. વાચનાચાર્ય અથવા યુગપ્રધાનાચાર્ય માટે કોઈ ગણ કે પરંપરાના નિયમો લાગુ પડતા ન હતા કે તે કોઈ ચોક્કસ ગણ અથવા પરંપરાના જ હોય. એક યુગપ્રધાન પછી એના સ્થાને કોઈ જુદો અથવા પરંપરાનો સુપાત્ર શ્રમણ પણ એ પદ માટે હક્કદાર દાવેદાર થઈ શકતો હતો.
ભ. મહાવીર પછી લગભગ અઢી-પોણાત્રણસો વરસ સુધી સંઘનું સંચાલન અને વાચના-પ્રદાનનું કાર્ય એક જ ગણાચાર્ય વડે નિષ્પન્ન થતું રહ્યું. એક એવું અનુમાન પણ કરવામાં આવે છે કે - ‘આર્ય સુહસ્તીના સમયમાં લાંબા સમયથી ચાલતી આવી રહેલી એ વ્યવસ્થાને બદલીને સંઘ-સંચાલન માટે ગણાચાર્ય તેમજ આગમવાચના માટે વાચનાચાર્યને નીમીને એકની જગ્યાએ બે આચાર્યોની અને ત્યાર બાદ યુગપ્રધાનાચાર્યની પરંપરા પ્રચલિત કરવામાં આવી. દૂરંદેશી આચાર્યોએ કાળ-પ્રભાવથી થનારા ગણભેદ, સંપ્રદાયભેદ, માન્યતાભેદ આમ વિવિધ ભેદોમાં અભેદને લાંબો સમય ટકાવી રાખવા માટે આ રસ્તો શોધી કાઢ્યો.’
આચાર્ય સુહસ્તીએ આર્ય મહાગિરિ પછી શાસ્રીય પરંપરામાં એકવાક્યતા અને એકરૂપતા બનાવી રાખવાની શાસનહિતની ભાવનાથી બંને ગણો દ્વારા માન્ય એમના શિષ્ય બલિસ્સહને વાચનાચાર્યપદ પર નીમીને એક નવીન પરંપરાની શરૂઆત કરી.
ગણાચાર્યની સાથે-સાથે વાચનાચાર્યની સ્વતંત્ર નિર્યુક્તિને લીધે બંને વિચારધારાઓના શ્રમણોમાં હંમેશાં નજીકનો સંપર્ક બનેલો રહેતો. શ્રમણસંઘમાં એકતા અકબંધ રહી.
જ્યાં સુધી યુગપ્રધાનાચાર્ય પરંપરાનો સવાલ છે, તો એવું જણાય છે કે આર્ય સુહસ્તીના વખતમાં મૌર્ય સમ્રાટ સમ્મતિ વડે કરાયેલ ઉત્કટ નિષ્ઠા અને લગનીપૂર્વકની શાસનનાં સેવાકાર્યોથી જૈન ધર્મના © જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
૨૦૮ ૭૭૭૮