________________
સ્વામીદ્રોહી ભલે પિતા જ કેમ ન હોય, એનો તત્કાળ વધ કરી દેવો જોઈએ.” માત્ર આ જ ઉપાયથી આપણા પરિવારની રક્ષા થઈ શકે છે, અન્યથા સર્વનાશ સન્મુખ છે.”
શ્રીયક આ જઘન્ય કૃત્ય માટે તૈયાર ન થતા શકટારે શ્રીયકને આશ્વાસન આપતા કહ્યું કે - “આવેલા સંકટની સામે આ કાર્યને કરવા માટે તૈયાર ન થતા શત્રુઓના મનોરથ પૂર્ણ કરવામાં તું સહાયતામદદ જ કરીશ. રાજાને પ્રણામ કરતી વખતે હું મારા મોઢામાં તાલકૂટવિષઝેર મૂકી દઈશ. આ સ્થિતિમાં માથું વાઢવાનો પિતૃહત્યાનો દોષ પણ તને લાગશે નહિ. નંદ આપણા સમસ્ત કુટુંબને મોતના ઘાટ ઉતારી દે, એના પહેલાં જ તું આપણા વંશનો વિનાશ થતો બચાવવા માટે મારું માથું કાપી નાખ. મારી આજ્ઞાનું પાલન કરી આપણા વંશની રક્ષા કર.” ..
શ્રીયકને સાથે લઈ શકટાર રાજભવનમાં નંદની સામે હાજર થયા અને એમને પ્રણામ કરવા માથું નમાવ્યું. શ્રીયકે તરત જ ખગ્ર(તલવાર)ના ઘાથી શકટારનું માથું કાપી નાંખ્યું. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના વી. નિ. સં. ૧૪૬માં ઘટેલી.
નંદે હડબડાઈને આશ્ચર્યથી કહ્યું : “દીકરા શ્રીયક ! તે આ શું કરી નાંખ્યું?” - શ્રીયકે અત્યંત ગંભીર મુદ્રામાં કહ્યું: સ્વામિનું! જ્યારે મને એવું જણાઈ ગયું હતું કે મહામાત્ય સ્વામીદ્રોહી છે, તો આવા સંજોગોમાં મેં એમને મારીને સેવકને યોગ્ય જ કર્મ કર્યું છે.”
નંદ અવાક થઈ શ્રીયકની તરફ જોતો જ કરી ગયો. એણે પૂર્વ રાજકીય સન્માનની સાથે પોતાના સ્વર્ગસ્થ મહામાત્યના અંતિમ સંસ્કાર પૂરા કરાવ્યા. ત્યાર પછી નંદે શ્રીયકને મગધ રાજ્યના મહામાત્યપદને સ્વીકારવા અભ્યર્થના કરી.
શ્રીયકે વિનમ્ર સ્વરે કહ્યું: “મગધેશ્વર ! મારા મોટા ભાઈ સ્થૂળભદ્ર મારા પિતાના સમાન જ યોગ્ય છે. અતઃ તમે મહામાત્યપદ એમને જ પ્રદાન કરો. તેઓ છેલ્લાં ૧૨ વર્ષોથી કોશા વેશ્યાના નિવાસસ્થાને જ રહેતા આવ્યા છે.” જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 6969696969696969696962 ૧૬૩]