________________
૧૪ કડિયામાં પૂરી કરી છે. જેમાંની પ્રથમની અગિયાર કડિઓમાં સૂરતનાં અગિઆર દેરાસરોનાં નામે આપ્યાં છે. પ્રત્યેક કડીમાં , દેરાસરમાં બિરાજમાન મુખ્ય ભગવાનનું નામ–જેના નામથી દેશ- . સર પ્રસિદ્ધ હોય તે ભગવાનનું નામ–આપી સ્તુતિ કરી છે. તે ઉપરાન્ત મૂર્તિની સંખ્યા કે એવી બીજી બાબત કંઈ બતાવી નથી. બારમી અને તેરમી કડીમાં રનેર, વલસાડ, ગણદેવી, નવસારી અને હસેટમાં બિરાજમાન પ્રભુની સ્તુતિ કરી ૧૪ મી કડીમાં પિતાને પરિચય આપે છે. જેમાં વિજયસિંહસૂરિના શિષ્ય કીર્તિવિજય અને તેમના શિષ્ય વિનયવિજયે આ કૃતિ કર્યા નું જણાવ્યું છે. આ ઉપાધ્યાયજીએ સૂરતનાં જે ૧૧ દેરાસરનાં નામે ગણાવ્યાં છે તે અનુક્રમે આ છે:–૧ ત્રાષભદેવનું, ૨ શાતિનાથનું, ૩ ધર્મનાથનું, ૪ પાર્શ્વનાથનું, પ સંભવનાથનું, ૬ ધર્મનાથનું, ૭ અભિનંદનનું, ૮ પાર્શ્વનાથનું, કુંથુનાથનું, . ૧૦ અજિતનાથનું અને ૧૧ ચિંતામણિપાર્શ્વનાથનું.
શાશ્વતતીર્થ.
*
ઉપરની છ તીર્થમાળાઓ પૈકી ત્રીજી “ તીર્થમાળા ” શાશ્વતતીર્થો સંબંધી છે. આ તીર્થમાળાના કર્તા છે વાચનાચાર્ય કીમેિરૂ. કર્તાએ પિતાને વિશેષ પરિચય આપ્યું નથી, તેમ આ તીર્થમાળા રસ્થાને સંવત્ પણ આપે નથી. કવિએ આ તીર્થમાળામાં શાશ્વત તીર્થોની સંખ્યા બતાવી છે, જેમાં ગત ચોવીસી, વર્તમાન ચોવીસી, અનાગત ચોવીસી, વીસ વિહરમાન, જ શાશ્વત અને તે ઉપરાન્ત સ્વર્ગ, પાતાલ અને તિર્યશ્લેકની તમામ શાશ્વત જિનબિંબની સંખ્યા બતાવી છે, એટલું જ નહિં
૧ આ કીમેિરૂ વિક્રમની પંદરમી શતાબ્દિમાં થયા છે. કારણ કે—તમણે, નાગપુર તપાગચ્છીય રત્નશેખરસૂરિકૃત “વિશુદ્ધિક જિલ” ની પોતે લખેલી પ્રતિની અંતમાં સંવત ૨૪૧૭ વર્ષ તિવા મણિ િિણતા વા ર્તિા ' એમ લખેલ છે.
[૬૦]