________________
આમાં પણ પાર્શ્વનાથનાંજ નામે બતાવ્યાં છે, પરંતુ ઉપરની બે તીર્થમાળાઓ કરતાં બહુજ ચેડાં. રયાને સંવત્ કવિએ આયે નથી.
ચોથું શાંતિકુશલ વિરચિત “ડીપાર્શ્વનાથ સ્તવન છે. કવિએ આપેલા પરિચય ઉપરથી જણાય છે કે–તેઓ વિનયકુશલના શિષ્ય થતા હતા. વળી ૩૧ મી કડી ઉપરથી એ પણ જણાય છે કે-વિજયસેનસૂરિના સમયમાં સં ૧૯૬૭ માં આ સ્તવન બનાવ્યું છે. યદ્યપિ કવિએ આ કૃતિને “સ્તવન” તરીકે ઓળખાવી છે, પરંતુ વસ્તુત: ઉપરની ત્રણ કૃતિની માફક આમાં પણ પાર્શ્વનાથનાં નામે જ બતાવવામાં આવ્યાં છે. જે કે-છેવટ જતાં થોડીક કડીઓમાં પાર્શ્વનાથની સ્તુતિ કરવામાં આવી છે.
ઉપરની ચારે તીર્થમાળાઓમાં ઓછી વત્તી સંખ્યામાં પાર્શ્વનાથનાં નામે ગણાવવામાં આવ્યાં છે, તેમાં મુખ્ય આ છેઃ
સંખેશ્વર, નવખંડા, ગાડરિયા, જીરાઉલા, પંચાસરા, પાહુલણ, પસીના, અમીઝરા, લઢણ, નવપલ્લવ, કરહેડા, ચિતામણિ, નવલખા, ભીડભંજણ, અંતરીક, અવંતી, મગસી, ફલેથી, અજારા, ગેડી, વરાણા, અરિજન, ચેલણ, ડેકરિયે, સફણા, થંભણ, ભાભા, મેઢેરાસહસફણ, પંચાસરા, કેકા, કંસારી, ભટેવા, વાડી, નવરેખ, વિઘનહરા, ઝેટિંગ, કોપરહેડા, અહિ છત્તા, શામળા, રાવણ, સમીના, દૂધાધારી, નારિંગ, માણિકય, ઘતકલેલ, શુદ્ધદંતી, નવફણા, નવસારી, ચાંચલીઆ અને દાદે વિગેરે.
જો કે–આ તીર્થમાળાઓમાં બીજાં ઘણાં નામે એટલે બધાં મળીને એક આઠ નામ આપવામાં આવ્યાં છે, પરંતુ અહિં સારમાં માત્ર પ્રસિદ્ધ ના મેનેજ ઉલ્લેખ કર્યો છે.