SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ આ કથન સ્પષ્ટ કરે છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચારે વર્ણન લેકે જૈનધર્મ પાળતા હતા. જ્ઞાતિને વ્યવહારજ એ પ્રમાણે હતે. જે લેકે જૈનધમી હતા, તેઓ ઈતર દેવને માનતા પણ ન્હોતા. બેશક એ વાત ખરી કે–આ લેક પ્રાય: દિગમ્બર જૈન હશે. શ્વેતામ્બર નહિં, કારણ કે-એ દેશમાં વેતામ્બર સાધુએને પરિચય સેંકડે વર્ષોથી ઓછો થઈ ગયેલે, અત્યારે પણ દક્ષિણના ઊંડા પ્રદેશમાં બ્રાહ્મણદિ લેકે જેનધર્મ પાળે છે. - આ ઉપરાન્ત બીજું પણ કેટલુંક જાણવા જેવું ઐતિહાસિક વર્ણન કર્યું છે. પાંચમી જ્ઞાનવિમલસૂરિ વિરચિત “તીર્થમાળા” છે. સં. ૧૭૫૫ ના જ્યેષ્ઠ સુ. ૧૦ ના દિવસે કવિએ આ તીર્થમાળા રચી છે, એમ છેલ્લી કડી ઉપરથી જણાય છે. કવિએ આ યાત્રા સૂરતથી શરૂ કરી છે સૂરતથી પ્રારંભ કરી રાનેર, ભરૂચ, ગંધાર, કાવી વિગેરે તીર્થોનું વર્ણન કરી ગુજરાતનાં કેટલાંક ગામનાં તીર્થો બતાવ્યાં છે, તે પછી મારવાડનાં તીર્થો વર્ણવ્યાં છે. મારવાડનાં તીર્થોની યાત્રા કરી સિદ્ધપુર, મહેસાણા અને અમદાવાદ થઈ પાછા સૂરત આવ્યા છે. કવિ કહે છે કે – “વિધિસ્યું છઇરી પાલતા સુત્ર પાસે કરી યાત્ર. સા. (પૃ. ૧૪૦ ) આ તીર્થમાળામાં વર્ણિત યાત્રા કવિના કથન પ્રમાણે છે મહીને પૂરી થઈ છે અને તે છરી પાળતાં કરી છે. આ સિવાય આ તીર્થમાળામાં વિશેષ હકીકત જાણવા જેવી કંઈ જણાતી નથી. ઉપરની પાંચે તીર્થમાળાઓમાં ગુજરાત, કાઠિયાવાડ, મારવાડ, મેવાડ અને દક્ષિણનાં તીર્થોનું વર્ણન આવી જાય છે, અને તેજ પ્રમાણે પૂર્વ દેશનાં તીર્થોનું વર્ણન કરનારી તીર્થમાળાઓ આપણે જોઈ ગયા. હવે આપણે એ તીર્થમાળાઓનું નિરીક્ષણ કરીએ, કે જેમાં પાશ્વનાથનાં તીર્થો અને નામો બતાવવામાં આવ્યાં છે. [ પર .
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy