________________
- એકંદર ઓગણીસ હજાર અને બાવન જિનબિંબ આમાં જણાવ્યાં છે.
ત્રીજી પંભાગ્યવિજયજી વિરચિત તીર્થમાળા છે. આ તીર્થમાળાને પરિચય પહેલાં કરાવ્યું છે. આ તીર્થમાળામાં જેમ પૂર્વદેશીય તીર્થોનું વર્ણન છે, તેમ ગુજરાત, મારવાડ, મેવાડ, મેવાત અને દક્ષિણનાં તીર્થોનું પણ ટૂંકમાં વર્ણન કર્યું છે. આ વર્ણનમાં કવિએ દેરાસરે અને મૂર્તિની સંખ્યા બતાવી નથી, પરન્તુ ગામ અને ત્યાંના મુખ્ય મંદિરનું નામ જ ઉલ્લેખ્યું છે. દક્ષિણનાં જે તીર્થોનાં નામે આપ્યાં છે, તેમાં મોટે ભાગે દિગમ્બર તીર્થને છે. માંગતુંગી, ગામઠસ્વામી વિગેરે. આ વર્ણનમાં એક બે ખાસ વિશેષતાઓ છે. લાહેરમાં જહાંગીર બાદશાહે “અષ્ટો, રહી સ્નાત્ર” કરાવ્યું હતું, તેને ઉલ્લેખ કર્યો છે. બીજી વિશેષતા આ છે –
સેતબંધરામેશ્વર પાસે જૈન રાજા છે આજ છે” (પૃ ૯૮ )
આ ઉપરથી જણાય છે કે–સં. ૧૭૫૦ની લગભગમાં દક્ષિણમાં જેનરાજા વિદ્યમાન હતા. દક્ષિણમાં દિગમ્બરની વિશેષતા હોઈ સંભવ છે કે-આ રાજા પણ કોઈ દિગમ્બરજ હશે. - પાંચમી શીલવિયજીની “ તીર્થ માળા છે. આ તીર્થમાળાને પરિચય પણ પહેલાં કરાવ્યું છે. આ કવિએ ગામનાં નામે ગણાવતાં પ્રસંગે પ્રસંગે કેટલાક ઐતિહાસિક પુરૂષ અને રાજાઓના વિવેચને વિશેષ કર્યા છે. જેમ રાણકપુરના મંદિરના કર્તાનું (પૃ. ૧૦૬), સંપ્રતિરાજાનું (પૃ. ૧૦૭), ભેજ સંઘવીનું (પૃ. ૧૧૪), દેવરાય રાજાનું (પૃ. ૧૧૭), ખંભાતનાં શ્રાવકેનું (પૃ. ૧૨૩) અને અમદાવાદના શ્રાવકેનું (પૃ. ૧૨૪).
કવિને ઉદ્દેશ્ય પશ્ચિમ, પૂર્વ, દક્ષિણ અને ઉત્તર–એ ચારે દિશાઓનાં તીર્થોનું વર્ણન કરવાને છે અને તે પ્રમાણે પ્રત્યેક દિશાનાં તીર્થોનું વર્ણન કરી અંતે એક એક કડીને કળશ પણ
( [ ૧૮ ]