SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાત, કાઠિયાવાડ, મારવાડ, મેવાડ અને દક્ષિણનાં તીર્થો. આની સાથે સંબંધ ધરાવનારી આ સંગ્રહમાં પાંચ તીર્થમાળાઓ છે ૧ પં. મેઘ વિરચિત “તીર્થમાળા” પૃ. ૪૮-૫૬ ૨ ૫૦ મહિમા વિરચિત “ચૈત્યપરિપાટી” પૃ. ૫૭-૬૧ ૩ પં. ભાગ્યવિજય વિરચિત “તીર્થમાળા પૃ.૭૩-૧૦૦ ૪ પં. શીલવિજય વિરચિત “તીર્થમાળા” પૃ. ૧૦૧–૧૩૧ ૫ જ્ઞાનવિમલસૂરિ વિરચિત “તીર્થમાળા” પૃ. ૧૩ર-૧૪૦ ઉપરની પાંચ તીર્થમાળાઓ પૈકી પહેલી તીર્થમાળા પં. મેઘે બનાવી છે. આ મેઘ કોણ? તે તીર્થમાળા ઉપરથી જણાતું નથી. કારણ કે કવિએ પિતાને વિશેષ પરિચય આપે નથી, તેમ આ તીર્થમાળા બનાવ્યા સંવત પણ આ નથી. એટલે ક્યા સમયની આ તીર્થમાળા છે, એ પણ કહી શકાતું નથી. આ તીર્થમાળામાં ગુજરાત, કાઠિયાવાડ, મારવાડ અને મેવાડનાં પ્રસિદ્ધ તીર્થો અને ગામનાં મંદિરે ઉલ્લેખ કરેલો છે. તેમાં પણ ગામનું નામ અને ક્યા ભગવાન મુખ્ય છે તે જ માત્ર બતાવ્યું છે. કોઈ કોઈ સ્થળે કંઇક વિસ્તૃત વર્ણન પણ કર્યું છે. જેમ આબનું વર્ણન. આબુનાં મંદિરે ઉલ્લેખ કરતાં કવિએ વિમલ મંત્રીએ કેવી રીતે ત્યાં મંદિર બનાવ્યાં તેનું વર્ણન કર્યું છે. આવી જ રીતે “ચડાઉલિ'નું વર્ણન ખાસ ધ્યાન ખેંચે છે. ૧ આ મેઘ (મેહ) તેજ છે કે-જેમણે “નવસારી સ્તવન” અને સં. ૧૪૯૯ કાર્તિક માસમાં રાણપુરતીર્થનું સ્તવન બનાવ્યું છે. તેઓ સેમસુંદરસૂરિના સમયમાં થયા છે, એ નિશ્ચય થાય છે. ૨ ચડાઉલિ એ અત્યારે ચંદ્રાવતીના નામથી ઓળખાય છે. આ ગામ આબૂડથી દક્ષિણ-પશ્ચિમમાં લગભગ ચાર માઈલ ઉપર આવેલું છે. [૪૭]
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy