________________
જયસાગરે કહ્યું છે:-“શાન્તિ, કુંથુ અને અરનાથને અહિં જન્મ થયો હતે. આગરાથી ઉત્તરમાં દેઢ કેસ થાય છે, પાંચ પાંડવો અને પાંચ ચકવતી અહિં થયા છે; વળી અહિં પાંચ થશે. છે અને પાંચ જિનમૂર્તિ છે.” ૫૦ ભાગ્યવિજયજીએ પણ લગભગ ૫૦ વિજ્યસાગરની માફક વર્ણન કર્યું છે. ફરક માત્ર એટલે છે કે આમણે આ સ્થાન દિલ્લીથી પૂર્વ દિશામાં ચાલીસ કોસ બતાવ્યું છે, અને પાંચ સ્તુપને બદલે ત્રણ સ્તૂપ બતાવ્યા છે. આમજ
મથુરા." તીર્થને પણ કોઈ કોઈ તીર્થમાળામાં ઉલ્લેખ જોવાય છે. પં. વિજયસાગરે આનું નામ માત્ર લીધું છે. પં. ભાગ્યવિજયજીએ આ તીર્થ મહાવીર સ્વામીના તીર્થ તરીકે પ્રસિદ્ધ બતાવ્યું છે. જ્યારે પં. શીલવિજયજીએ જમના નદીના કાંઠે આ ગામ હોવાનું બતાવી નેમનાથના તીર્થ તરીકે આને પ્રસિદ્ધ બતાવ્યું છે.
એ પ્રમાણે પૂર્વદેશીય તીર્થોનું વર્ણન ઉપર્યુકત પાંચ તીર્થમાળાઓમાં કરવામાં આવેલ છે.
અહિં અંબાદેવીનું મંદિર હોવાનું પણ જણાવ્યું છે, પરંતુ સં. ૧૯ર૯ સુધી અહિ એકે મંદિર હતું. માત્ર એક ઝાડ નીચે પગલાં હતાં. સં. ૧૯૨૮ માં અહિં એક મંદિર બન્યા પછી આ તીર્થ પાછું જાહેરમાં આવ્યું છે. કહેવાય છે કે–અહિંથી માઇલ–સવામાઇલ ઉપર ડાભદેવનાં પણ પગલાં છે.
૧ મથુરા. જમના નદીને કિનારે આ એક પ્રાચીન શહેર છે. અત્યારે લગભગ સાઠ હજાર માણસોની વસ્તી છે. એક વખતે આ સ્થાન જેનતીર્થ તરીકે મશહુર હતું, જ્યારે અત્યારે જેનોની વસ્તી (પચાસ દિગમ્બરોનાં ઘરો સિવાય) બિલકુલ નથી. ધિયામંડીમાં એક પાર્શ્વનાથનું મંદિર છે. અહિંની શોધખેળના પરિણામે ઘણી પ્રાચીન વસ્તુઓ અને જૂના શિલાલેખે મળ્યા છે. કંકાલીટી. લામાં જે એક જૈન સ્તૂપ છે, તે અત્યાર સુધીમાં પ્રાપ્ત થયેલા જૂનામાં જૂના બે
તૂ પૈકીની એક છે. વધુ માટે જૂઓ. જૈનસ્તૂપાઝ ઓફ મથુરા.' 'કા વિન્સેટ, એ. મી.
[ do- ]