________________
વિજયે પેાતાના સમયમાં સમેતશિખરની તળેટીમાં જે ગામ હતું, તેનુ નામ પાલગજ જ આપ્યું છે, વધુમાં તેમણે પાલગ જન રાજા પૃથ્વીચ’દ્ર (પૃથ્વીસિંહ) હતા એમ પણ જણાવ્યુ છે. જ્યારે ૫૦ શીલિવજયે રાજાનું નામ નથી આપ્યું. માત્ર એટલુંજ જણાવ્યું છે:—
પાલગંજ તલટી વસઇ રાજા ત્રી મનિ ઉસિં૦ ” ૨૫ (પૃ. ૧૧૦) પરન્તુ ૫૦ સૈાભાગ્યવિજયે આ મધાઓ કરતાં કંઇક વિશેષ જણાવ્યું છે. તેઓ જણાવે છે કે—
“ બંગાળમાં આવેલા ઝરિયા ગામમાં રઘુનાથસિંઘ રાજા રાજ્ય કરે છે. તેના દીવાનનુ નામ સોમદાસ છે. સમે તશિખરની યાત્રાએ જતાં જે કાઇ યાત્રી અહિં આવે છે તેની પાસેથી અર્ધા રૂપિયા લઇને તેને આગળ વિદાય કરે છે વચમાં દલાલા પણ ર્યા કરે છે અને શ્રાવકાની ખુશામત કરે છે. તેઓ કહે છે કે—પાર્શ્વનાથના પાળેલા અમે રખવાળા છીએ, તમે સંઘ લઇને આવ્યા છે, માટે જે કંઇ લાવ્યા હા તે અમને આપે.”
આગળ ચાલતાં આ કવિ, રકતરાસના રાજા કૃષ્ણસિંહ પણ દાણુ લે છે, એમ જણાવે છે. વળી “સમ્મેતશિખરની તળેટીમાં રઘુનાથપુરા ગામ છે. અહિં યાત્રાળુએ એક વિશાળ વડની નીચે ઉતરે છે. અહિં થી બે ગાઉ સપાટ જમીન ઉપર ચાલ્યા પછી પહાડના ચઢાવ આવે છે ” એમ પણ કવિએ જણાવ્યું છે. આ પછી આ કવિ આખી એક ઢાળમાં આ મનેહર રસાળ પહાડનું વર્ણન કરી આ પહાડમાં થતી વનસ્પતિઓ વાઘ, સિદ્ધ વિગેરે કેવાં કેવાં જાનવરે આ જ ગલમાં રહે છે, તે પણ જણાવે છે.
૧ અત્યારે પણ આ ઝરિયા (Jherri) વિદ્યમાન છે, અને તે પાનાથ હીલથી પૂર્વ દક્ષિણમાં ૨૪–૨૫ માઇલ ઉપર આવેલુ છે.
૨ કતરાસ ( Kutras ) આ ગામ પાર્શ્વનાથ હીલથી પૂર્વ-દક્ષિણમાં લગભગ ૧૫ માઇલ ઉપર આવેલુ છે.
[ ૩૦ ]