SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પં. જયવિજયે પણ કચ્યું છે – સમેતાલ શત્રુજ્ય લઈ સીમંધર જિણવર ઈમ બેલઈ, એહ વયણ નવિ લઈ.” ૪૯ (પૃ. ૨૪) કવિ વિજયસાગરજીએ અને પં. જયવિજયે સમેતશિખરની આસપાસના મનુષ્ય અને આ ભૂમિની રસાળતાનું જે વર્ણન કર્યું છે, તે ખરેખર તે વખતની સ્થિતિનું ભાન કરાવે છે. આ કવિઓએ કરેલા વર્ણનને સાર આ છે – લોકો હંગેટિયા છે. માથું ઉઘાડું રાખે છે અને માથે વાળનાં ગુંચડાં વધારે છે. સ્ત્રી કાંચળી પહેરતી નથી. “કાંચળી” નામથી તે ત્યાં ગાળ ગણવામાં આવે છે. સ્વિયે પણ કદરૂપી, ભૂતડી જેવી લાગે છે. માથું ઢાંકેલી કોઈ સ્ત્રીને તે જૂએ છે તે તેણે એને બહુ આશ્ચર્ય થાય છે. ત્યાંના ભીલે હાથમાં ધનુષ્ય અને બાણ લઈને ફરે છે.” આ પછી આગળ જતાં આ કવિઓએ આ રસાળ દેશનું પ્રાકૃતિક વર્ણન કરી તે દેશમાં થતી વસ્તુઓ ફળ-ફૂલાદિગણાવેલ છે. સમેતશિખરની યાત્રાએ જનારાઓને તે સમયમાં પણ ત્યાંના રાજાની સમ્મતિ મેળવવી પડતી હતી, તેમ આ તીર્થમાળાઓ ઉપરથી જણાય છે. ઉપરની પાંચ તીર્થમાળાઓ પૈકી સૌથી જૂની પં. હંસસમની તીર્થમાળામાં કહેવામાં આવ્યું છે – તલહદિ પાલઈશું જા ગામ સંઘઈ જઈનઈ કીધું મુકામ. (પૃ. ૧૯) , . આમાં જે પાલઘૂંગું જા” ગામનું નામ આપ્યું છે, તેનું ખરૂં નામ “ પાલગંજ” છે. પં. વિજયસાગર અને ૫૦ જય ૧ આ પાલગંજ (Palgunja) અત્યારે પણ વિદ્યમાન છે. આ ગામ હજારીબાગ જીલ્લામાં આવેલા મધુવન ( Madhoobun) થી ઉત્તર પૂર્વમાં ૬-૭ માઈલ ઉપર અને ગિરડીહ (Giridih)થી દક્ષિણ પશ્ચિમમાં ૧૧-૧૨ માઈલ ઉપર આવેલું છે. [૨૯]
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy