SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ રાન્ત અહિં મલ્લીનાથ અને નમિનાથનાં પગલાં છે, એમ પણ કહે છે. વળી અહિંથી ૧૪ કેસ ઉપર તે જનકપુરી હોવાનું જણાવે છે, કે જે જનકપુરી સીતાનું પીયર હતું. પં. શીલવિજયજી. મિથિલાનયરી મલીનિણંદ.” (પૃ ૧૯) એમ ગાઈને મલ્લીનાથનું જન્મ ક્યાણક મિથિલા બતાવે છે. વસ્તુતઃ આ સ્થાન કર્યું તે ચોક્કસ કહી શકાતું નથી. હવે પટણાથી દક્ષિણમાં પચાસ ગાઉ ઉપર ભદિલપુર નામનું તીર્થ છે. શીતલનાથનું આ જન્મકલ્યાણક છે. આ ભદિ કથનમાં બે બાબતે મહત્ત્વની છે. એક તે એ કે–આ દેશમાં તેમના સમયમાં સંસ્કૃતના પ્રખર વિદ્વાન હતા. અને બીજી બાબત એ કે તે વખતે આ નગરી ( મિથિલા) “જગઇ' (જગતી) ના નામથી પ્રસિદ્ધ હતી. તે કથન આ પ્રમાણે છે – ___ “पए पए वावीकूवतलायनईओ य महुरोदगा पागयजणा घि सक्यभासाविसारया अणेगसत्थपसत्थअप्भत्थिनिउण य जणा । तत्थ रिद्धिथमियसमिद्धा मिहिला नाम नयरी होत्था। संपयं जगइत्ति पसिद्धा" । ઉપર્યુક્ત સીતામઢીથી પશ્ચિમમાં લગભગ ૭ માઇલ ઉપર જગદીશપુર (Jugdees poor) નામનું ગામ છે. સંભવ છે, જેને જિનપ્રભસૂરિ “જગઈ કહે છે, તે જ આ જગદીશપુર હેય. જે આ કલ્પના સાચી હોય, તે અત્યારનું જગદીશપુર, એજ જિનપ્રભસૂરિના સમયની મિથિલા નગરી કહી શકાય. ૧ આ જનકપુરિ પણ અત્યારે વિદ્યમાન છે જે જનકપુર (Janickpoor ) ના નામથી પ્રસિદ્ધ છે. આ ગામ દરભંગા જંકશનથી પશ્ચિમોત્તર જનકપુરરેડ નામનું સ્ટેશન છે. તેનાથી પૂર્વોત્તર ૨૪ માઇલ ઉપર છે. સીતામઢીથી પૂર્વોત્તરમાં છે તે લગભગ ૩૦ માઈલ ઉપર આવેલું છે. ૨ અત્યારે આ તીર્થ વિચ્છેદ છે, પરંતુ ગયા જીલ્લામાં હટવરિયા ( Hutwareea ) નામનું એક નાનકડું ગામડું છે, તેને ભદીલપુર ગણ [ ૨૭]
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy