________________
ત્રણ કોસ નહિં પરંતુ દક્ષિણ-પૂર્વ માં લગભગ પાંચ-છ કેસ થાય છે. આ પછી મહાવીર સ્વામીની જન્મભૂમિ તરીકે પ્રસિદ્ધિ પામેલ
ક્ષત્રિય તીર્થ છે. પ્રસ્તુત પાંચ તીર્થમાળાઓ પૈકીની સૌથી જૂની તીર્થ માળાના કર્તા પંહંસામ, જે આમલીવૃક્ષે પ્રભુએ આમલકીક્રિીડા કરી હતી, તે આમલીનું વૃક્ષ જોયાનું લખે છે. તે ઉપરાન્ત સિદ્ધાર્થ રાજાનું ઘર (ઘરનું સ્થાન) બતાવી ત્યાંથી બે ગાઉ બ્રાહ્મણ કુંડ ગામ છે; એમ જણાવે છે. જ્યારે પં. વિજયસાગર જણાવે છે કે-“ક્ષત્રિયકુંડની તળેટીમાં બે દેરાસર છે, સિદ્ધાર્થ રાજાનું ઘર
૧ ક્ષત્રિયકુંડ, કવિએ જે ક્ષત્રિયકુંડ, કુમારિયગામ, બ્રાહ્મણકુંડ ગામ, આમલીવૃક્ષ, જ્ઞાતવન વિગેરે સ્થાનેનું વર્ણન કર્યું છે, તેજ અત્યારે પણ માન- * વામાં આવે છે, અને ત્યાંજ લેકે યાત્રા કરવાને જાય છે પરંતુ શોધખોળનું રિણામ આ સ્થાનને સ્થાપનારૂપે માનવા તરફ દેરી જાય છે. એવી અનેક કાચીન નગરીઓ છે, કે જેનું મુખ્ય સ્થાન નિશ્ચય કરવું કઠિનતા ભરેલું છે. જે ક્ષત્રિયકુંડ અને તેને લગતાં બીજા સ્થાને અત્યારે મનાય છે, તે સ્થાપના રૂપે છે, એમ માનવામાં અનેક કારણો છે.
શાસ્ત્રોમાં ક્ષત્રિયકુંડ વૈશાલની પાસે બતાવવામાં આવેલ છે, એ વાત સુપ્રસિદ્ધ છે. હવે અનેક શોધોના પરિણામે એ નિશ્ચય જે થઈ ચૂકયું છે કેમુજફફરપુર જીલ્લામાં આવેલું બસડપટી (Busadhputtee)એજ વૈશાલી નગરી છે. અહિં અનેક જીર્ણમંદિરે અને ખંડહરો પણ વિદ્યમાન છે. આ ગામ ગંડક (ગડિકિકા) નદીની પાસે જ કાંઠા ઉપર આવેલું છે, અને તેજ પ્રમાણે હેમચંદ્રાચાર્ય “મહાવીરચરિત્રમાં વૈશાલી ગંડિકિકા નદીની પાસે જ હોવાનું જણાવે છે. (જુઓ વાણિજગામ ઉપરની નેટ) આ પ્રમાણેથી આજ ગામ વૈશાલી નગરી છે, એમ માની શકાય છે. આ બાડપટ્ટીની પાસે જ બસુકુંડ છે, જેને છે. રેસન વિગેરે વિદ્વાને ક્ષત્રિયકુંડ તરીકે ઓળખાવે છે. આ વૈશાલી (બસાડપટ્ટી) થી દક્ષિણ-પશ્ચિમમાં લગભગ છ માઈલ ઉપર એક ગામ છે. જેનું નામ છે બામણગામ ( Bamhangawan ). આજ બામણુણગામ, અષભદત્ત બ્રાહ્મણવાળું ગામ હોય, તેમ સંભાવના થાય છે.
[ ર૨ ]