________________
હોવાનું પણ જણાવ્યું છે. અત્યારે ગામમાં ત્રણ દેરાસરે છે – પાર્શ્વનાથનું, આદીશ્વરનું અને મુનિસુવ્રતસ્વામિનું.
પં. ભાગ્યવિજય તે અહિં ઘણાં મંદિરે બતાવે છે – વૈભારગિરિ ઉપર પર, વિપુલગિરિ ઉપર ૮, રત્નગિરિ ઉપર ૩, સુવર્ણગિરિ ઉપર ૧૬, ઉદયગિરિ ઉપર ૧ અને ગામમાં ૧ એમ મળી ૮૧ મંદિરોની સંખ્યા આપે છે. . આ સિવાય દરેક કવિ અહિંના ગરમ પાણીના કુંડાને પણ ઉલ્લેખ કરે છે. ભગવતીસૂત્રના બીજા શતકના પાંચમાં ઉદ્દેશોમાં પૃ. ૧૪૧ માં ( આગમેદયસમિતિ તરફથી બહાર પડેલ) પણ આ કુંડેનું વર્ણન આવે છે, અત્યારે પણ આ કુંડે વિદ્યમાન છે.
ઉપર્યુક્ત પહાડ ઉપર જે મંદિરે બતાવ્યાં છે, તેમાં અને ત્યારે કેટલુંક પરિવર્તન થઈ ગયું છે. અત્યારે વૈભારગિરિ ઉપર ૭, ઉદયગિરિ ઉપર ૨, વિપુલગિરિ ઉપર ૬, સુવર્ણગિરિ ઉપર ૨ અને રત્નગિરિ ઉપર ૨ મંદિરે છે. આ ઉપરાન્ત તે પહાડે ઉપર બીજાં મંદિરનાં ખંડેરે પણ ઘણાં જોવાય છે.
આ રાજગૃહી અનેક નામથી પ્રસિદ્ધ થઈ ચૂકી છે. શ્રીજિ. નપ્રભસૂરિ વૈમાજ્યિમાં કથે છે – ' " उपत्यकायामस्याद्वे ति राजगृहं पुरम् ।
क्षितिप्रतिष्ठादिनामान्यन्वभूयत्तदा तदा ॥१३॥ . નિતિરિઝરપુરમપુરમ |
कुशाग्रपुरसंज्ञं च क्रमाद्राजगृहाह्वयम् " ॥१४॥
આ ઉપરથી તેનાં આ નામ જણાય છે – ક્ષિતિપ્રતિક, ચણકપુર, રાષભપુર, કુશાગ્રપુર અને રાજગ્રહ,
મહાવીરનાં ચદ માસાંથી અને દ્ધોના વિશ્વવિદ્યાલયથી પ્રસિદ્ધિ પામેલ “નાલંદાને પાડે” પણ આ રાજગહીની નજીકજ છે. પ્રસ્તુત તીર્થમાળાઓમાં આ નાલંદાપાડાને પણ ઉલેખ જોવાય છે. આ બધી તીર્થમાળાઓમાં “અત્યારે આ
| [ ૧૮ ]