SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ . આવી જ રીતે પં. સભાગ્યવિજયજીએ પણ ચંદ્રમાધવ નામ આપ્યું છે. આ ઉપરથી જણાય છે કે-જે પગલાં ચંદ્રપ્રભસ્વામિનાં હતાં, તે પગલાંને આ કવિઓના સમયમાં “ચંદ્રમાધવનાં પગલાં” ના નામથી ઓળખાતા હશે. કાશી છોડ્યા પછી આગળનાં તીર્થોની શરૂઆત - પાટલીપુત્ર. થી થાય છે. આ એક ઈતિહાસ પ્રસિદ્ધ નગર છે. અહિં અનેક ઐતિ હાસિક ઘટનાઓ બનેલી છે. ઉપરની તીર્થમાળાઓ પૈકી પંચ વિજયસાગરે, ૫૦ જયવિજયે અને ૫૦ સૈભાગ્યવિજયે પિતપિતાની તીર્થમળાઓમાં અહિંની ઐતિહાસિક ઘટનાઓનું વર્ણન સારું કર્યું છે. અહિં દેરાસરોમાં બે દેરાસરો ગામમાં અને એક બેગમપુરામાં, જેને પં. વિજયસાગર “ખમણુવસહી ના નામથી ઓળખાવે છે, એમ ત્રણ હતાં. અહિંના અનેક દર્શનીય સ્થાનમાં હીરવિજયસૂરિને સ્તૂપ, જેના ઉપર “પગલાં” હેવાનું પં. સભાગ્યવિજયજી જણાવે છે, તે પણ એક છે. આ પાટલીપુત્ર (પટણ)ને પહેલાં કુસુમપુર પણ કહેતા. શ્રીજિનપ્રભસૂરિ પાટલીપુત્ર૫માં કથે છે કે – " असमकुसुमबहुलतया च कुसुमपुरमित्यपि रूढम् " પટણાથી પૂર્વ –દક્ષિણમાં લગભગ ૧૫–૧૬ ગાઉ ઉપર " - બિહાર, નગર છે. પંવિજયસાગરે અને પં. વિજયે અહિં ત્રણ મં. દિર હોવાનું જણાવ્યું છે. અત્યારે અહિં ચાર મંદિરે છે. ખાસ કરીને આ નગરી માટે આ કવિઓએ એક વાત જાણવા જેવી જણાવી છે. તે એ કે–પ્રાચીન નગરીઓમાં જેને તુંગિયા નગરી ૧ પાટલીપુત્ર કે જેનું અત્યારે પ્રસિદ્ધ નામ પટણા છે, તેની ઉત્પત્તિ અને ત્યાં બનેલા બના સંબંધીનું વર્ણન જિનપ્રભસૂરિએ “પાટલીપુત્રકલ્પ’ માં બહુ વિસ્તારથી કર્યું છે. ત્યાંથી જોવાની ભલામણ કરવામાં આવે છે. [૧૫ ]
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy