________________
પ્રયાગ જેનું પ્રસિદ્ધ નામ અલાહાબાદ છે અને જેને પ્રાચીન ગ્રંથમાં પુરિમતાલના નામથી ઓળખાવેલ છે, તેને પણ ઉલ્લેખ પાંચે તીર્થમાળાઓમાં જોવામાં આવે છે. આ તીર્થની ખાસ એક હકીકત ઉલેખનીય છે અને તે એ કે–પંહંસામે અહિંના અક્ષયુવડની નીચે જિનેશ્વરનાં પગલાંની યાત્રા કર્યાનું જણાવ્યું છે,
જ્યારે શીતવિજયજીને છેડીને બીજા કવિએ પગલાંના સ્થાનમાં શિવલિંગ જોયેલું છે. અહિં જિનપાદુકાના સ્થાનમાં શિવલિંગની
સ્થાપના કોણે અને ક્યારે કરી? એ સંબંધી પંચ વિજયસાગર જણાવે છે –
“સંવત સેલેડયાલ લાડમિથ્યાતીમાં રાયકલ્યાણ કુબુદ્ધિ હુઓ એ. તિણિ કીધે અન્યાય શિવલિંગ થાપી.
ઉથાપી જિનપાદુકાઓ.” આજ વાતને પં. સાભાગ્યવિજયજી પણ ટેકે આપે છે.
૧ આ પ્રયાગને તીર્થ તરીકે માનવામાં જે કારણે કવિએ બતાવ્યાં છે, તેમાં મતભેદ પડે છે. પં. હંસસમ, અહિં આદિનાથ પ્રભુએ દીક્ષા લીધાનું જણાવે છેપંજયવિજય, અહિં “આદિનાથ પ્રભુ સેમેસર્યા” એમ જણાવે છે, પં૦ સૈભાગ્યવિજય, અહિં આદિનાથ પ્રભુએ પારણું કર્યાનું જણાવે છે જ્યારે પં. શીલવિજયજી પણ આદિનાથે અહિં વરશીતપ પૂરો કર્યાનું કથે છે.
કવિયોએ બતાવેલાં ઉપર્યુકત કારણોમાં ૫૦ જયવિજયજીએ બતાવેલા કારણને છોડી બાકીનાં કારણે ઠીક નથી. કારણકે આદિનાથ પ્રભુની દીક્ષા થઈ છે અધ્યામાં અશોકવૃક્ષની નીચે અને આદિનાથ પ્રભુએ પારણું કર્યું છે હસ્તિનાપુરમાં. આદિનાથ પ્રભુના ચરિત્ર ઉપરથી સ્પષ્ટ જોવાય છે કે આદિનાથપ્રભુને અહિં (પુરિમતાલ-હાલના પ્રયાગમાં) વટવૃક્ષની નીચે કેવળજ્ઞાન થયું હતું અને આજ કારણથી આ નગર જૈનતીર્થ તરીકે મનાતું આવ્યું છે, તેમ આજ કારણથી અક્ષયવડની નીચે પ્રભુનાં પગલાં પણ વિદ્યમાન હતાં.
L[૧૦]