SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ જણાવે છે, પરંતુ વસ્તુતઃ તે ઠીક નથી. મૃગાવતીને કેવળજ્ઞાન કેશાંબી નગરીમાં થયું હતું, એ સુપ્રસિદ્ધ વાત છે. જિનપ્રભસૂરિ, “કૈશાંબી ક૫માં પણ મૃગાવતીને કેવળજ્ઞાન કોશાબીમાંજ થયાનું જણાવે છે, એ બનવા જોગ છે કે-તે વખતની શાંબી નગરીનો એક ભાગ આ મઉગામ પણ હોય. કારણ કે-મઉગામ અને કેશાબીની વચમાં માત્ર નવકેસનું અંતર બતાવવામાં આવે છે અથવા એક એવી પણ કલ્પના થઈ શકે કે–પાછલના કેઈ સમયે કેશાબીમાંથી પગલાં ઉપાડીને મઉમાં સ્થાપન કર્યા હોય અને તે ઉપરથી કેટલાકને એમ કહેવાનું કારણ મળ્યું હોય કે અહિં (મઉમાં) મૃગાવતીને કેવલજ્ઞાન થયું હતું, પરંતુ આ કિલષ્ટ ક૯૫ના કરતાં પ્રથમની કલ્પના વધારે ઉપયુક્ત સમજાય છે. પં. વિજયસાગરે મઉ ગામમાં એક મંદિર અને પંદર પ્રતિમાઓ તથા કેશાબીમાં બે મંદિરે હોવાનું જણાવ્યું છે. પં. હંસામે કેશાબીમાં ૬૪ જિનબિંબ બતાવ્યાં છે (મંદિરેની સંખ્યા આપી નથી), જયવિજયે કેવળ કૌશાંબીમાં બે મંદિરે હોવાનું જણાવ્યું છે, જ્યારે ભાગ્યવિજયજી મઉમાં પહેલા બે મંદિરે હતાં, પણ હાલમાં માત્ર સ્થાન જ છે એમ જણાવે છે અને કેશાબીમાં એક જીર્ણ મંદિર હોવાનું કહે છે. જિનપ્રભસૂરિના સમયમાં અહિં પદ્મપ્રભુનું મંદિર હતું અને તેમાં મહાવીર સ્વામિને પારણું કરાવી રહી છે એવા ભાવને બતાવનારી” ચંદનબાલાની મૂર્તિ હોવાનું “કૌશાંબીક૯૫” ના આ વાક્યથી જણાય છે - "जत्थ य पउमप्पहचेईए पारणकारावणदसाभिसंधिघडिया चंदणवालामुत्ती दीसइ ।” તીર્થમાળાઓમાં આ કેશાંબી નગરીને પ્રયાગથી વીશકશ બતાવવામાં આવે છે. વસ્તુત: તે પ્રયાગથી દક્ષિણ-પશ્ચિમમાં ૩૮ માઈલ છે. આની નજીકનું તીર્થ [ ૯ ]
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy