SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ સારસંગ્રહ વિપાકેદયમાં તે તે પ્રકૃતિના ફલને અનુભવ થાય છે ત્યાં વેદથી પ્રકૃતિએને જ્યાં સુધી પોતપોતાને ઉદય વિર કેદ ન થાય ત્યાં સુધી હંમેશાં વિપાકેદય જ હોય છે. અને જેને અબાધા કાળ વ્યતીત થયે છતે પ્રદેશદય શરૂ થયેલ છે. તેવી અદયી પ્રકૃતિને જ્યારે તે તે પ્રકૃતિના વિપાકેદયને યોગ્ય દ્રવ્યાદિક સામગ્રી પ્રાપ્ત થાય ત્યારે વિપાકેદય અર્થાત્ રદય થાય છે. પ્રસ્તુતમાં આ વિપાકેદયને ઉદય કહેવામાં આવે છે. જે જે પ્રકૃતિને જે જે ગુણસ્થાનક સુધી ઉદય બતાવવામાં આવે છે તે પ્રકૃતિઓને તેના ઉપરના ગુણસ્થાનકમાં ઉદય નથી હેતે, એમ સ્વયં સમજી લેવું. સૂલમત્રિક, અને આપને પહેલા ગુણસ્થાનક સુધી, પ્રથમની ચાર જાતિ અને સ્થાવર એ પાંચને બીજા સુધી, નરકાનુપૂર્વીને બીજા અને ત્રીજા વિના, અને શેષ ત્રણ આનુપૂવીને ત્રીજા સિવાય ચોથા સુધી. દેવગતિ, નરકગતિ, વૈક્રિયદ્ધિક, દર્ભાગ્ય અને અનાદેઢિક આ સાત પ્રકૃતિએને ચોથા સુધી, તિર્યંચગતિ અને ઉદ્યોતને પાંચમા સુધી, આહાકદ્ધિકને છ ગુણસ્થાનકે છેલ્લા ત્રણ સંઘયણને સાતમા સુધી, બીજા અને ત્રીજા સંવયણને અગિયારમા સુધી, તીર્થંકરનામકર્મને ૧૩ મે તથા ચૌદમે, દારિકટિક, અસ્થિરદ્ધિકબે વિહાગતિ, પ્રત્યેકત્રિક, છ સંસ્થાન, અગુરુલઘુ ચતુષ્ક, વર્ણ ચતુષ્ક, નિર્માણ, તેજસ, કાર્મણ, પ્રથમ સંઘયણ અને બે સ્વર, આ ર૯ પ્રકૃતિએને તેરમા સુધી, વસત્રિક, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, સૌભાગ્ય, અને આયદ્ધિક એ આઠ પ્રકૃતિએને ઉદય ચૌદમા ગુણસ્થાનક સુધી હોય છે. ' સામાન્યથી સર્વ જી આશ્રયી વીશ, એકવીશ, વીશ, પચીશ, છીશ, સત્તાવીશ, અઠ્ઠાવીશ, એગણત્રીશ, ત્રશ, એકત્રીશ, નવ અને આઠ, આ નામકર્મનાં બાર ઉદયસ્થાને છે. '' કયા કયા અને કેટલાં ઉદયસ્થાને હોય છે, અને જ્યારે હોય છે. તેમજ તેના ભાંગા કેટલા થાય છે તે જાણવા માટે નીચે લખેલ નિયમ બરાબર ધ્યાનમાં રાખવા - (૧) સામાન્યથી ઉદય આશ્રયી જે પ્રકૃતિએ પરાવર્તમાન છે, તે સર્વ જીવોને પરાવર્તમાન જ હેય એમ નથી, પરંતુ તેમાંથી પણ અમુક પ્રકૃતિઓ એકેન્દ્રિય વગેરે જાતિ સાથે અથવા નરકગતિ આદિ સાથે અવશ્ય ઉદયમાં આવે છે, માટે તે તે પ્રકૃતિઓ સામાન્યથી પરાવર્તમાન હોવા છતાં તે તે જીવ આશ્રયી અપરાવર્તમાન પણ હોય છે દષ્ટાંત તરીકે –અને વિહાગતિ, ઉદય આશ્રયી પરાવર્તમાન છે, પરંતુ દેવગતિ સાથે શુભવિહાગતિ અને નરકગતિ સાથે અશુભ વિહાગતિ જ ઉદયમાં આવે છે, માટે દેવગતિ સાથે શુભવિહાગતિ અને નરકગતિના ઉદય સાથે અશુભવિહાયે ગતિને ઉદય અપરાવર્તમાન ગણાય.
SR No.005676
Book TitlePanchsangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1984
Total Pages420
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy