SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ પંચસંગ્રહ તૃતીયખંડ તીર્થકર નામકર્મ સાથે દેવગતિ એગ્ય ઓગણત્રીશ પ્રકૃતિના બંધક મનુષ્યને સાત ઉદયસ્થાન હોય છે અને તે અાવીશના બંધકની જેમ સમજવાં. માત્ર અહિં ત્રીશને ઉદય સમ્યગ્દષ્ટિને જ કહે. સઘળા ઉદયેમાં બબે સત્તાસ્થાનકે હોય છે. તે આ– ૯૩-૮૯. માત્ર આહારક સંયતને ત્રાણુંનું જ સત્તાસ્થાન હોય છે. આહારદ્ધિક યુક્ત દેવગતિગ્ય ત્રીશને બંધ કરતા સંયતને ઓગણત્રીશ અને ત્રીશ એમ બે ઉદયસ્થાન હોય છે. આ ત્રીશનો બંધ અપ્રમત્ત અને અપૂર્વકર થાય છે. ત્યાં ત્રીશનો ઉદય તે સ્વભાવસ્થ મનષ્યને હોય છે. તે વખતે બા નું એકજ સત્તાસ્થાન હોય છે. ઓગણત્રીશને ઉદય તેને હોય છે કે જે સંયત ક્રિય કે આહારકશરીર વિકવી તે શરીર યોગ્ય સઘળી પર્યાપ્તિએ પર્યાપ્ત થઈ અંતિમકાળે-ઉદ્યોતને ઉદય થતાં પહેલાં અપ્રમત્ત આવે. તેને જ ઉદ્યોતના ઉદયે ત્રીશનું ઉદયસ્થાન થાય છે. આ બંને ઉદયે સત્તાસ્થાન એક બાણુંનું જ છે. જો કે આહારકશરીરી પ્રમત્તસંયત પણ ઓગણત્રીશ અને ત્રશના ઉદયવાળે હેય છે. પરંતુ તે આહારકબ્રિક બાંધો નથી, કેમકે ત્યાં તેના બંધનું કારણ વિશિષ્ટ સંયમ નથી. એકત્રીશના બંધક અપ્રમત્ત સંયત અને અપૂર્વકરણવાળાને ત્રશનું એક ઉદયસ્થાન હેય છે અને ત્રાણુંનું એક સત્તાસ્થાન હોય છે. એક યશકીતિન બંધકને ત્રીશનું એકજ ઉદયસ્થાન હોય છે. સત્તાસ્થાનકે આઠ હોય છે. તે આ-૯૩-૯૨-૮–૮૮-૮૦-૭૯-૭૬-૭૫. જે પૂર્વે કહી ગયા છે. | સર્વ બંધસ્થાન અને ઉદયસ્થાનની અપેક્ષાએ સત્તાસ્થાને એસે ઓગણસાઠ થાય છે. બંધવિચછેદ થયા પછી ઉદય અને સત્તાસ્થાનને પરસ્પર સંવેધ સામાન્ય સંવેધને વિચાર જે પ્રમાણે કહ્યો છે તે પ્રમાણે સમજ. ' હવે દે સંબંધી બંધ, ઉદય અને સત્તાસ્થાને વિચાર કરે છે-ને ચાર બંધસ્થાનક છે. તે આ--૨૫-૨૬-૨૯-૩૦ તેમાંનાં પચીસ અને છવ્વીસ એ બે બંધસ્થાન પર્યાપ્ત-બાદર પૃથ્વી, અ... અને પ્રત્યેક વનસ્પતિ એગ્ય બંધ કરતાં હોય છે. અહિં સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, અને યશ-અપયશના પરાવર્તનવડે આઠ ભંગ થાય છે. છવ્વીસને બંધ આતપ કે ઉદ્યોત સહિત હોય છે. અહિં સોળ ભાંગા થાય છે. મનુષ્ય ૧ તીર્થકર નામકર્મને બંધક આહારકશરીરી ર૯ અને ૩૦ ના ઉદયે અપ્રમત્તે જાય તે તે ઉલે. વર્તાતા તેને એકત્રીશ પ્રકૃતિને બંધ સંભળે છે. પણ અ૫કાળ માટે કે કોઈકને હેવાથી ન રહણ કર્યો હોય એમ સમજાય છે. અહિં એકત્રીશના બંધે ત્રીશનું એક જ ઉદયસ્થાન લીધું છે. પ્રમત્ત સંયતે આહારકશરીરને ૨૮ ને બંધ લીધે છે. તે જ અપ્રમત્તે જાય છે તેને આહારદિક યુક્ત એકત્રીશન બંધ સંભવે છે, તવ કેવલીગમ્ય.
SR No.005676
Book TitlePanchsangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1984
Total Pages420
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy