SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ પંચસંગ્રહ વતીયખંડ ઉદયની અગીઆર, તેમાં ત્રણ મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે. બે સાસ્વાદને, બે મિથે, ત્રણ અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે અને એક દેશવિરતિ ગુણસ્થાનકે. સાતના ઉદયન દશ, તેમાં મિથ્યાષ્ટિ, સાસાદન અને મિશ્રદષ્ટિ દરેકમાં એક-એક, અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ત્રણે, ત્રણ દેશવિરતિ ગુણસ્થાનકે અને એક પ્રમત્તાપ્રમત્ત ગુણસ્થાનકે. પ્રમત્ત-અપ્રમત્ત ગુણસ્થાનકે ઉદયસ્થાનકેના સ્વરૂપને ભેદ નહિ હોવાથી એટલે કે તે બને ગુણસ્થાનકનાં સઘળાં ઉદયસ્થાનકે એક સરખાં જ હેવાથી એક સારૂપવાળાં જ વિવહ્યાં છે, એટલે બંને ગુણસ્થાનકની વીશીઓ જુદી કહી નથી. છના ઉદયે સાત, તેમાં એક અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે, ત્રણ દેશવિરતે, ત્રણ પ્રમ–અપ્રમત્તે. અપૂર્વકરણ સંબંધી છ આદિ ઉદયસ્થાનકે પ્રમત્તાપ્રમત્તના ઉદયસ્થાનકથી ભિન્ન નથી, માત્ર ગુણસ્થાનકના ક્ષેત્રે જ ભિન્ન છે, પરંતુ અહિં ગુણસ્થાનકના ભેર ભિન્ન શીઓની વિવક્ષા કરી નહિ હોવાથી અપૂર્વકરણની વીશીઓ જુદી ગણી નથી. " પાંચના ઉદયે ચાર, તેમાં એક દેશવિરતે, અને ત્રણ પ્રમત્ત–અપ્રમત્ત તથા ચારના ' ઉદયની એક, અને તે પ્રમત્ત-અપ્રમત્ત હોય છે. - ' એટલે ભિન્ન ભિન્ન ગુણસ્થાનકે થતી દશથી ચાર સુધીના ઉદયની આ પ્રમાણે વી. શીઓ થાય–૧–-૧૧-૧૦-૭–૪–૧, સરવાળે ચાલીશ વશીએ થાય છે. અહિં પદસંખ્યા લાવવા માટે ઉપાય કહે છે–જે જે ઉદયસ્થાનકની જેટલી જેટલી ચિવશીઓ થાય તેટલી તેટર્લી વીશીઓને તે તે ઉદયસ્થાને સાથે ગુણાકાર કરે. ત્યારબાદ તે સઘળીને સરવાળે કરે, અને તેને એવોશે ગુણવા, ત્યારબાદ તેમાં નવમા ગુણસ્થાનકનાં પદ મેળવવાં એટલે કુલ પદસંખ્યા થાય છે. , જેમકે-દશના ઉદયે એક વીશી થાય છે, એટલે તેને દશે ગુણતાં દશ, નવના ઉદયે છ વીશી થાય છે, એટલે નવને છએ ગુણતાં ચેપન, આઠના ઉદયે અગીઆર થોવીશી થાય છે, એટલે આઠને અગીઆરે ગુણતાં અઠ્ઠાશી, સાતના ઉદયે દશ વીશી થાય છે, માટે સાતને દશે ગુણતાં સિત્તેર, છના ઉદયે સાત વીશી થાય છે, માટે છને સાતે ગુણતાં બેતાલીશ, પાંચના ઉદયે ચાર વીશી થાય છે, માટે પાંચને ચારે ગુણતાં વણ, અને ચાના ઉદયે એક વીશી થાય છે, માટે ચારને એકે ગુણતાં ચાર. ' સ્થાપના આ પ્રમાણે-૧૦-૫૪-૮૮-૭૦-૪૨-૨૦-૪. આ સઘળીને સરવાળે કરતાં બસો અઠ્ઠાશ થાય. હવે તેને વીશે ગુણાકાર કરવા, એટલે એગણેતેરસે અને બાર થાય, તેની અંદર નવમા ગુણસ્થાનકના બે આદિના ઉદયથી થતાં પદે મેળવીએ એટલે પૂર્ણ પદ-સંખ્યા થાય છે. નવમા ગુણસ્થાનકે બેના ઉદયે બાર ભંગ થાય છે. તેનાં પદે વશ થાય છે. વેદને ઉદય જતાં એકના ઉદયે ચાર ભંગ થાય છે, તેમાં પદે પણ ચારજ થાય છે. કુલ અઠ્ઠાવીશ પદ પૂર્વની સંખ્યામાં મેળવતાં સઘળાં મળી આગાતેરસે અને ચાલીશ પર થાય છે,
SR No.005676
Book TitlePanchsangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1984
Total Pages420
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy