SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસંગ્રહ તૃતીયખંડ કે તથાસ્વભાવે વૈક્રિયષકની સમકાલે ઉદ્દલના થાય છે. અને ક્રિયષટ્રકની ઉદ્દલના થયા પછી જ મનુષ્યદ્ધિકની ઉઠ્ઠલના કરે છે, પહેલાં કરતું નથી. માટે એંશ, અર્યોતેર એ બે સત્તાસ્થાન પૈક્રિય વાયુકાયને હોતાં નથી. ના પચીશના ઉદયે પણ પાંચે સત્તાસ્થાને હોય છે. તેમાં પચીશના ઉદયે અઠેરનું સત્તાસ્થાન વૈક્રિયશરીરિ સિવાયના અન્ય વાયુકાય અને તેઉકાયને હોય છે, તે સિવાયના પૃથ્વીકાયાદિને હોતું નથી. કારણ કે તેઉકાય અને વાયુકાય વિનાના અન્ય સઘળા પર્યાપ્ત જે મનુષ્યગતિ અને મનુષ્યાનુપૂર્વી અવશ્ય બાંધે છે, માટે અદ્યતેરનું સત્તાસ્થાન [શરૂઆતના પિતાપિતાના બે ઉદયસ્થાન સિવાય અન્યત્ર સંભવતું નથી. છવ્વીસન ઉદયે પચે સત્તાસ્થાને હોય છે. અહિં પણ અનેરનું સત્તાસ્થાન અક્રિય વાયુકાય અને તેઉકાય જેને હોય છે, (પૃથવી, અપ અને વનસ્પતિમાં હોતું નથી.) અથવા તે –વાઉમાંથી મનુષ્યદ્ધિક ઉવેલી પર્યાપ્ત-અપર્યાપ્ત બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંસિસં િપંચેન્દ્રિય તિર્યંચમાં આવેલાને હોય છે. કારણ કે તેઓ સઘળા જ્યાં સુધી મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી બાંધતા નથી ત્યાં સુધી તેઓને અઠ્ઠોતેરનું સત્તાસ્થાન હોય છે, ત્યારબાદ હેતું નથી. સત્તાવીશના ઉદયે અઠ્ઠોતેર સિવાય ચાર સત્તાસ્થાને હોય છે. કારણ કે સત્તાવીશને ઉદય તેઉ-વાઉ વજીને પર્યાપ્ત બાદર એકેન્દ્રિય અને વૈક્રિય ઈચ-મનુષ્યને હોય છે. તેઓને અવશ્ય મનુષ્યદ્ધિકના બંધને સંભવ હોવાથી અઠ્ઠોતેરનું સત્તાસ્થાન ઘટતું નથી. પ્રશ્ન-શું તેઉકાય-વાઉકાય જીને સત્તાવીશને ઉદય હેતે નથી? જેથી તેને વજે છે ? ઉત્તર–છવ્વી ના ઉદયવાળા એકેન્દ્રિયને આતપ કે ઉદ્યોતના ઉદયે સત્તાવીસને - ઉદય થાય છે. તેઉ–વાયુમાં આતપ કે ઉદ્યોતને ઉદય જ હોતું નથી. એટલે તેલ-વાયુમાં સત્તાવીશનું ઉદયસ્થાન હોતું નથી, માટે તેને વર્યું છે. ૧ અદાસીની સત્તાવાળા એકેન્દ્રિય પહેલાં દેવદિક ઉવેલે છે, ત્યારબાદ વૈક્રિય ચતુષ્ક અને નરકદિક ઉલે છે, અથવા પહેલાં નરકદિક ઉકેલે છે. અને ત્યારપછી દેવદિક અને વક્રિયચતુષ્ક ઉકેલે છે. એટલે શૈક્રિય વાયુકાયને છયાશીની સત્તા હોઈ શકે છે, કેમકે ઐક્રિયશરીર થવાનું કારણ બૈક્રિયચતુષ્કની સત્તા છે અને જયાશીના સત્તાસ્થાનકમાં તે છે. ૨ ઉત્તર શૈક્રિય શરીરી મનુષ્ય તથા તિર્યંચ પંચેન્દ્રિને શૈકિયચતષ્કની સત્તા અવશ્ય હાય છે. માટે આ ઉદયસ્થાનમાં પણ શૈકિય શરીરી મનુષ્ય તથા તિર્યય પંચેન્દ્રિયોને ૮૦ તથા ૮૬ નું સત્તાસ્થાન પણ હોતું નથી એટલે કે તેઓને માત્ર ૯૨ અને ૮૮ એ બે જ સત્તાસ્થાન હોય છે. ૩ તેઉકાય અને વાયુકાય મનુષ્યદ્ધિક ઉલે છે, અન્ય કોઈપણ ઉલતા નથી, એટલે તેઉ-વાઉમાં તે તેના પિતાના સઘળા ઉદયસ્થાનમાં અનેરનું સત્તાસ્થાન સંભવે છે. પરંતુ તે સિવાયના અન્ય પર્યાપ્ત પૃથ્વીકાયાદિ તિર્યો કે જેઓ તેઉવાઉમાંથી મનુષ્યદિક ઉવેલીને આવેલા છે. તેમાં શરૂઆતનાં પિતાના બે ઉદયસ્થાન સુધી જ અઠતેરનું સત્તાસ્થાન હોય છે. ત્યારબાદ મનુષ્યદ્ધિકને અવશ્ય બંધ થઈ જતો હોવાથી અઠોતેરનું સત્તાસ્થાન હોતું નથી. અહિં પૃથ્વીકાયાદિને “પર્યાપ્તા” વિરોષણ જેડયું છે, તેને અર્થ પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા એ લેવાને છે.
SR No.005676
Book TitlePanchsangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1984
Total Pages420
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy