SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તતિકા ટીકાનુવાદ સુસ્વરને ઉદય મેળવતાં એગણત્રીશને ઉદય થાય છે. (અહિં એ ખ્યાલમાં રાખવું કે ઉચ્છવાસને ઉદય થતાં પહેલાં કેઈને પણ સ્વરને ઉદય થતું નથી.) અહિં પણ પૂર્વવત્ આઠ ભંગ થાય છે. અથવા પ્રાણા પાન પર્યાપ્તિએ પર્યાપ્તાને સ્વરને ઉદય થતાં પહેલાં કેઈને ઉદ્યોતને ઉદય થાય છે, અને તેના ઉદયે પણ ઓગણત્રીશને ઉદય થાય છે. અહિં પણ પૂર્વવત્ આઠ ભંગ થાય છે. સઘળા મળી એગણત્રીશના ઉદયના સોળ ભંગ થાય છે. - ત્યાર બાદ સુસ્વર સહિત એગણત્રીશના ઉદયમાં ઉદ્યોતને ઉદય મેળવતાં ત્રીશને ઉદય થાય છે. અહિં પણ પૂર્વની જેમ આઠ ભંગ થાય છે. સઘળા મળી વૈકિય તિર્યંચના પાંચ ઉદયસ્થાનના છપ્પન ભંગ થાય છે. પંચેન્દ્રિયતિર્યંચનાઓગણ પચાસસે બાસઠ ભંગ થાય છે. અને એકેન્દ્રિયાદિ સઘળા તિર્યંચના સરવાળે પાંચ હજાર અને સીત્તેર ભંગ થાય છે. હવે મનુષ્યમાં ઉદયસ્થાનકે કહેવાં જોઈએ. અને તેને તિર્યચપંચેન્દ્રિ સાથેજ સામાન્યથી તો કહ્યાં છે, પરંતુ હવે તેને વિશેષથી વિચાર કરે છે–તેમાં સામાન્ય મનુષ્યનાં ઉદયસ્થાને પાંચ છે, તે આ-૨૧–૨૬-૨૮-૨૯-૩૦. તેમાં એકવીશ, છવ્વીસ અને અદ્વાવશ એ ત્રણ ઉદયસ્થાનકે જેમ તિર્યંચ પંચેન્દ્રિયને કહ્યાં, તેમ અહિં પણ સમજવાં. માત્ર તિર્યંચગતિ-આનુપૂર્વાના સ્થાને મનુષ્યગતિ-આનુપૂવ કહેવાં. ભાંગાએ પણ તે જ પ્રમાણે કહેવા. ઓગણત્રીશ અને ત્રીશને ઉદય પણ તિર્યંચની જેમ જ કહે. માત્ર ઉદ્યોતના ઉદયરહિત કહે. કેમકે મનુષ્યમાં ઉદ્યોતને ઉદય વૈક્રિય અને આહારકશરીરી સંયતને મૂકી અન્ય કોઈને હેત નથી. તેથી તિર્થના એગણત્રીશ અને ત્રીશના ઉદયના ભાંગામાંથી ઉદ્યોતના ઉદયે થતા ભાંગાઓ દૂર કરતાં મનુષ્યને ઓગણત્રીશના ઉદયે પાંચ છેતેર અને ત્રીશના ઉદયે અગિયારસો બાવન ભંગ થાય છે. સઘળા મળી સામાન્ય મનુષ્યના છવ્વસ અને બે ભાંગા થાય છે. ક્રિય મનુષ્યનાં પાંચ ઉદયસ્થાનકે છે. તે આ–૨૫-૨૭-૨૮-૨૯-૩૦ તેમાં મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, વૈક્રિયશરીર, વૈક્રિય અંગોપાંગ, સમચતુરઅસંસ્થાન, ઉપવાસ, વસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સુભગ-દુર્ભાગમાંથી એક, અદેય-અનાદેયમાંથી એક, યશકીર્તિ-અપયશકીર્તિમાંથી એક, તેજસ, કાર્મણ, વર્ણાદિ ચતુષ્ક, સ્થિર, અસ્થિર, થલ, અશુભ, અરૂલઘુ અને નિમણ. આ રીતે પચાસને ઉદય હોય છે. અહિં સુભગ-દુર્ભાગ, આય-અનાથ અને યશ-અપયશને ફેરવતાં આઠ ભાંગા થાય છે. દેશવિરત શ્રાવક અને સર્વવિરત મુનિઓને દુર્લંગ અનાદેય અને અપયશકીર્તિને ગુણ
SR No.005676
Book TitlePanchsangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1984
Total Pages420
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy