SearchBrowseAboutContactDonate
Page Preview
Page 810
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૧ ઉપશમનાકરણ પ્રશ્નોત્તરી પછીનો અને પહેલાંનો અનિવૃત્તિકરણનો કાળ કેટલો ? ઉત્તર–અંતરકરણ કરવાની ક્રિયા એક સ્થિતિઘાત જેટલા કાળમાં કરે છે. અને સ્થિતિઘાતનો કાળ માત્ર આવલિકાના સંખ્યાતમાભાગ પ્રમાણ જ છે. તેથી અલ્પ છે. અને તેના કરતાં અંતરકરણ કર્યા પછીનો અનિવૃત્તિકરણનો કાળ ઘણી આવલિકાપ્રમાણ હોવાથી સંખ્યાતગુણ છે. પરંતુ કેટલાક મહર્ષિઓ વિશેષાધિક કહે છે, તેની યુક્તિ હું સમજી શકતો નથી. અને અંતરકરણક્રિયાના પછીના કાળથી અંતરકરણક્રિયાની પહેલાંનો અનિવૃત્તિકરણનો કાળ સંખ્યાતગુણ હોય છે. કારણ કે અનિવૃત્તિકરણકાળના ઘણા સંખ્યાતભાગ ગયા પછી અંતરકરણની ક્રિયા શરૂ કરે છે. પ્રશ્ન-૨૬. અવિરતિ આદિના લક્ષણમાં વિરતિના જ્ઞાન, સ્વીકાર અને પાલનવાળાને વિરતિ બતાવેલ છે. પરંતુ શરૂઆતના ચાર ભાંગામાં મિથ્યાષ્ટિ અને પછીના ત્રણ ભાંગામાં અવિરત બતાવ્યા છે. તો જ્ઞાન અને સ્વીકાર વિના કરાતી ધર્મક્રિયાઓ અને પાલન કરાતાં વ્રતો શું સર્વથા વિરતિમાં ન જ આવે ? ઉત્તર-પથાર્થ જ્ઞાન ન હોય અને જેમ માસતુસ મુનિ આદિને જ્ઞાનીના વચનની પરતંત્રતા હતી તેમ પરતંત્રતા પણ ન હોય તો મિથ્યાત્વ હોવાથી વિરતિ ન જ ગણાય અને યથાર્થજ્ઞાન અથવા જ્ઞાનીના વચનની પરતંત્રતા હોવા છતાં વિધિપૂર્વક સ્વીકાર કર્યા વિના પાલન કરવામાં આવતાં વ્રતો વગેરે પણ યથાર્થ રીતે સ્વીકારેલ ન હોવાથી વ્યવહારથી મોટા ભાગે વિરતિમાં ગણાતાં નથી પરંતુ અવિરતિમાં ગણાય છે. માટે યથાર્થ જ્ઞાન, ગ્રહણ અને પાલનવાળા જીવોને જ દેશવિરતિ અથવા સર્વવિરતિ હોય છે. - પ્રશ્ન–૨૭. દેશવિરતિ કે સર્વવિરતિની પ્રાપ્તિમાં કેટલાં કરણો કરવાં પડે ? . ઉત્તર–મોહનીયકર્મની કોઈપણ પ્રકૃતિઓનો ક્ષય અથવા ઉપશમ કરવાનો હોય ત્યારે ત્રણ કરણો કરવાં પડે છે. પરંતુ ક્ષયોપશમ કરવાનો હોય ત્યારે ત્રીજું અનિવૃત્તિકરણ કરવું પડતું નથી અને આ બે ગુણોની પ્રાપ્તિમાં કોઈપણ પ્રકૃતિઓનો સર્વથા ક્ષય કે ઉપશમ થતો નથી પણ ક્ષયોપશમ થાય છે. માટે યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણ કરી અનિવૃત્તિકરણ કર્યા વિના તુરત જ દેશવિરતિ અથવા સર્વવિરતિ પ્રાપ્ત કરે છે. પ્રશ્ન–૨૮. દેશવિરતિ તથા સર્વવિરતિ પ્રાપ્ત કરનાર આત્માઓને દેશવિરતિ અને સર્વવિરતિની ગુણશ્રેણિ ક્યારે શરૂ થાય? અને તે ગુણશ્રેણિ કરવાની ક્રિયા ક્યાં સુધી ચાલુ રહે? ઉત્તર- આ બન્ને પ્રકારના આત્માઓને ગુણપ્રાપ્તિના અપૂર્વકરણમાં ગુણશ્રેણિ શરૂ થતી નથી. પરંતુ જે સમયે ગુણની પ્રાપ્તિ થાય તે જ સમયથી જ્યાં સુધી દેશવિરતિ કે સર્વવિરતિ રહે ત્યાં સુધી ગુણશ્રેણિ કરવાની ક્રિયા ચાલુ રહે છે અને દરેક સમયે ઉપરની સ્થિતિઓમાંથી લાવેલ દિલિકોને ઉદયવતી પ્રવૃતિઓના ઉદયસમયથી અને શેષ પ્રકૃતિઓના ઉદયાવલિકાના ઉપરના પ્રથમ સમયથી અંતર્મુહૂર્તપ્રમાણ કાળના સમયોમાં ગોઠવે છે.
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy