SearchBrowseAboutContactDonate
Page Preview
Page 799
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭૦ પંચસંગ્રહ-૨ વેદનીયકર્મનાં બે સત્તાસ્થાન હોવા છતાં એક પ્રકૃતિનું સત્તાસ્થાન ચૌદમાના ચરમ સમયે જ પ્રાપ્ત થાય છે. માટે તેની દેશોપશમના થતી નથી, પરંતુ બે પ્રકૃત્યાત્મક સત્તાસ્થાનની આઠમા ગુણસ્થાનક સુધી દેશોપશમના થાય છે અને નવમા વગેરે ગુણસ્થાનકોમાં થતી નથી. માટે ત્યાંથી પડી આઠમે ગુણસ્થાનકે આવે ત્યારે પુનઃ શરૂ થાય છે માટે સાદિ, નવમાં ગુણસ્થાનકે ન પામેલા જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અપ્રુવ એમ બે પ્રકૃત્યાત્મક સ્થાનની દેશોપશમના ચાર પ્રકારે થાય છે. આયુષ્યકર્મમાં પોતપોતાના ભવના પ્રથમ સમયથી જ્યાં સુધી પરભવનું આયુષ્ય બાંધવાની શરૂઆત ન કરે ત્યાં સુધી એકની અને પરભવાયુષ્ય બાંધવાની શરૂઆત કરે ત્યારથી કાળ ન કરે ત્યાં સુધી ૨ પ્રકૃતિની સત્તા હોય છે. અને આ બન્ને સ્થાનોની સત્તાની જેમ દેશોપશમના પણ વારંવાર થતી હોવાથી બન્ને સ્થાનો સાદિ અને અધુવ એમ બે પ્રકારે છે. ગોત્રકર્મનાં બે અને એક પ્રકૃત્યાત્મક બે સત્તાસ્થાનો છે. ત્યાં તેઉકાય અને વાયુકામાં ઉચ્ચ ગોત્રની ઉદ્ધલના કર્યા પછી અન્ય ભવમાં જઈ જ્યાં સુધી ઉચ્ચ ગોત્ર ન બાંધે ત્યાં સુધી એકની અને ઉચ્ચ ગોત્રની ઉત્કલના ન કરી હોય અગર કર્યા પછી પણ અન્ય ભવમાં પુનઃ ઉચ્ચ ગોત્ર બાંધેલ હોય તેવા જીવોને બે પ્રકૃતિની સત્તા હોય છે. તથા તે બન્ને સત્તાસ્થાનો સાદિ-સાંત હોય છે અને દેશોપશમનામાં પણ આવે છે. માટે આ બન્ને સ્થાનોની દેશોપશમના પણ સાદિ અને સાંત એમ બે પ્રકારે હોય છે. જોકે ચૌદમાના ચરમસમયે કેવલ ઉચ્ચ ગોત્રરૂપ એક પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે, પરંતુ તેની દેશોપશમના થતી નથી. મોહનીયકર્મમાં ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭ અને ૨૮ એમ પ્રકૃતિ દેશોપશમનાનાં છ સ્થાનો છે. ત્યાં અનાદિ મિથ્યાદૃષ્ટિને અથવા સમ્યક્તથી પડી મિથ્યાત્વગુણસ્થાનકે આવેલા જીવને સમ્યક્ત-મોહનીય અને મિશ્રમોહનીયની ઉdલના કર્યા બાદ છવ્વીસની સત્તા હોય છે. આ સત્તાસ્થાન સાદ્યાદિ ચાર પ્રકારે હોવાથી છવ્વીસ પ્રકૃત્યાત્મક સ્થાનની દેશોપશમના પણ ચાર પ્રકારે થાય છે. ૨૮ની સત્તાવાળાને અઠ્યાવીસની તેમજ સમ્યક્વમોહનીયની ઉદ્ધલના કરેલ ર૭ની સત્તાવાળાને સત્તાવીસની અને પ્રથમ ગુણસ્થાનકે મિથ્યાત્વની સર્વોપશમના કરવા માટે જ્યારે ત્રણ કરણ કરે છે ત્યારે અપૂર્વકરણના ચરમસમયે મિથ્યાત્વની દેશોપશમનાનો વિચ્છેદ થવાથી અનિવૃત્તિ કરણના પ્રથમ સમયથી ૨૬ની સત્તા હોવા છતાં મિથ્યાત્વ વિના ૨૫ની દેશોપશમના થાય છે. તેમ જ ચોથાથી સાતમા ગુણસ્થાન સુધીમાં અનંતાનુબંધિની ક્ષપણા અથવા ઉપશમના કરવા માટે ત્રણ કરણ કરે ત્યારે અનિવૃત્તિકરણના પ્રથમ સમયથી અનંતાનુબંધિની દેશોપશમના થતી નથી, માટે અનંતાનુબંધિ વિના ૨૪ની દેશોપશમના થાય છે. અને દર્શનત્રિકની ક્ષપણા તથા ઉપશમના કરનારને પોતાના અનિવૃત્તિકરણના પ્રથમ સમયથી આ ત્રણેની દેશોપશમના થતી નથી. માટે ૨૪ અથવા ૨૮ની સત્તા હોવા છતાં દર્શનત્રિક અથવા અનંતાનુબંધિ અને દર્શનત્રિક
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy