SearchBrowseAboutContactDonate
Page Preview
Page 793
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬૪ પંચસંગ્રહ-૨ ભોગવાઈને દૂર થાય છે તેમ-તેમ ઉપર-ઉપરનાં સ્થાનોમાં દલિક-રચના થાય છે. અને તે દલિકરચના આ ગુણસ્થાનકના સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થાનોમાં પૂર્વ-પૂર્વના સમયથી પછી પછીના સમયમાં અસંખ્યાતગુણાકારે થાય છે. તેથી આ ગુણસ્થાનકે થતી ગુણશ્રેણિ કાળ અને દલિકોની અપેક્ષાએ સમાન હોય છે. દા. ત. આ ગુણસ્થાનકના અંતર્મુહૂર્તના અસત્કલ્પનાએ ૧૦૦ સમય અને સંખ્યામાં ભાગના ૧૦ સમય કલ્પીએ તો પ્રથમ સમયે ઉપરથી ઉતારેલ દલિકોને ૧થી ૧૦ સમયમાં ગોઠવે છે. બીજા સમયે ઉતારેલ દલિકને રથી ૧૧, ત્રીજા સમયે ઉતારેલ દલિકોને ૩થી ૧૨ અને ચોથા સમયે ઉતારેલ દલિકોને ૪થી ૧૩ સમયમાં ગોઠવે છે. એમ આ ગુણસ્થાનકના ચરમ સમય સુધી તે તે સમયે ઉતારેલ દલિકોને તે તે સમયથી ૧૦ સમય સુધીના કાળમાં અસંખ્યાત ગુણાકારે ગોઠવે છે. અને ઉપરથી પણ દરેક સમયે સરખાં જ દલિકો ઉતારે છે. માટે જ આ ગુણસ્થાનકમાં જે ગુણશ્રેણિ થાય છે તે કાળ અને દલિકોની અપેક્ષાએ તુલ્ય હોય છે. આ ગુણસ્થાનકે મોહનીયકર્મનો સર્વથા ઉપશમ થયેલ હોવાથી તેની સત્તાગાં કોઈપણ પ્રકૃતિઓમાં સંક્રમણ, ઉદ્વર્તના, અપવર્તના, ઉદીરણા, નિદ્ધત્તિ અને નિકાચના આ છમાંથી કોઈપણ કરણ લાગતાં નથી તેમજ આ અંતર્મુહૂર્ત કાળમાં મોહનીયકર્મની કોઈપણ પ્રકૃતિઓનો ઉદય થતો નથી, માત્ર સત્તાગત મિથ્યાત્વ અને મિશ્રનો સંક્રમ અને ત્રણે દર્શનમોહનીયની અપવર્ણના થાય છે. એમ ક્રોધોદયે શ્રેણિ માંડનારને સમજવું. પરંતુ માનોદયે શ્રેણિ માંડનારને નપુંસકવેદની જેમ ત્રણે ક્રોધ એકીસાથે ઉપશાંત થાય છે, માયોદયે શ્રેણિ ઉપર આરૂઢ થનારને પ્રથમ ત્રણ ક્રોધ પછી ત્રણ માન, તે જ પ્રમાણે લોભોદયે શ્રેણિ માંડનારને પ્રથમ ત્રણ ક્રોધ, પછી ત્રણ માન, અને ત્યારબાદ ત્રણ માયા ઉપશાંત થાય છે અને લોભને તો પ્રથમની જેમ જ ઉપશમાવે છે. ક્રોધોદયે શ્રેણિ માંડનારને જ્યાં ક્રોધનો બંધવિચ્છેદ થાય છે તે જ સ્થાને માને શ્રેણિ માંડનારને પણ ક્રોધનો બંધવિચ્છેદ થાય છે. અને જે સમયે ક્રોધનો બંધવિચ્છેદ થાય છે. તે જ સમયે સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલ ક્રોધ જે અનુપશાંત હોય છે તેને પછીના સમયથી બે સમયનૂન બે આવલિકા કાળમાં ક્રોધોદયે શ્રેણિ માંડનારની જેમ ઉપશમાવે છે અને યથાપ્રવૃત્ત સંક્રમથી સંક્રમાવે છે. એ જ પ્રમાણે માયોદયે શ્રેણિ માંડનારને પણ જે જગ્યાએ ક્રોધનો બંધવિચ્છેદ થાય છે તે જ જગ્યાએ ક્રોધનો, જે જગ્યાએ માનનો બંધવિચ્છેદ થાય છે તે જગ્યાએ માનનો અને લોભોદયે શ્રેણી માંડનારને ક્રોધાદિ ત્રણેનો ક્રોધોદયે શ્રેણિ માંડનારને જે જે સ્થાને બંધવિચ્છેદ થાય છે તે તે સ્થાને જ ક્રમશઃ સંજ્વલન ક્રોધ, માન અને માયાનો બંધવિચ્છેદ થાય છે અને પોતપોતાના બંધવિચ્છેદ સમયે સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલ છે તે કષાયનું જે દલિક અનુપશાંત હોય છે તેને પોતપોતાના બંધવિચ્છેદ પછીના સમયથી બે સમય ન્યૂન બે આવલિકા કાળમાં પ્રથમની જેમ જ ઉપશમાવે છે અને યથાપ્રવૃત્ત સંક્રમથી સંક્રમાવે છે. અંતર્મુહૂર્ત પ્રમાણ ૧૧મા ગુણસ્થાનકનો કાળ પૂર્ણ થયા પહેલાં જ જો મનુષ્યભવનું
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy