SearchBrowseAboutContactDonate
Page Preview
Page 769
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસંગ્રહ-૨ અનિવૃત્તિકરણની અથવા મિથ્યાત્વની પ્રથમ સ્થિતિ બે આવલિકા પ્રમાણ બાકી રહે ત્યારે મિથ્યાત્વની ગુણશ્રેણિ બંધ પડે છે. અને આવલિકા બાકી રહે ત્યારે સ્થિતિઘાત અને રસઘાત પણ બંધ પડે છે, અર્થાત્ તે સમયથી મિથ્યાત્વના સ્થિતિઘાત અને રસઘાત થતા નથી. તેમજ મિથ્યાત્વની પ્રથમ સ્થિતિ બે આવલિકા પ્રમાણ બાકી રહે ત્યારે અંતકરણની ઉપર રહેલ મિથ્યાત્વનાં દલિકોને ઉદીરણાના પ્રયોગથી ઉદયાવલિકામાં નાખી ઉદયાવલિકામાં રહેલ દલિકો સાથે ભોગવવા યોગ્ય કરતો નથી માટે આગાલ વિચ્છેદ થાય છે. અને પ્રથમ સ્થિતિની એક આવલિકા બાકી રહે ત્યારે ઉદીરણા પણ વિચ્છેદ થાય છે. ૭૪૦ જ્યારે જ્યારે જે જે પ્રકૃતિઓનું અંતરકરણ થાય છે ત્યારે ત્યારે અંતરકરણ થયા પછી ઉદીરણા પ્રયોગ દ્વારા અંતરકરણની ઉપરની સ્થિતિમાંથી દલિકને ઉદયાવલિકામાં નાખી ઉદયપ્રાપ્ત દલિકોની સાથે ભોગવવા યોગ્ય કરે છે. તે ઉદીરણાનું જ પૂર્ણ પુરુષોએ આગાલ એવું વિશેષ નામ આપેલ છે. અનિવૃત્તિકરણની સમાપ્તિની સાથે જ અંતરકરણની નીચેની મિથ્યાત્વની નાની સ્થિતિ પણ ભોગવાઈને સત્તામાંથી સંપૂર્ણ નષ્ટ થઈ જાય છે. માટે અનુવૃત્તિકરણની સમાપ્તિ પછીના પહેલા જ સમયે આત્મા અંતરકરણમાં પ્રવેશ કરે છે. અને તે અંતકરણમાં મિથ્યાત્વનાં દલિકો ન હોવાથી ઉખરભૂમિને પ્રાપ્ત કરી જેમ દાવાનળ ઓલવાઈ જાય છે તેમ અંતરકરણરૂપ ઉખર ભૂમિને પ્રાપ્ત કરી અનાદિકાલીન મિથ્યાત્વરૂપ દાવાનળ પણ ઓલવાઈ જાય છે. તેથી અંતરકરણમાં પ્રથમ સમયે જ આત્મા પૂર્વે કોઈપણ વાર પ્રાપ્ત ન કરેલ મોક્ષરૂપી વૃક્ષના બીજ સમાન અપૂર્વ આત્મહિત સ્વરૂપ ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે છે. અને તે જ અંતરકરણમાં ઉપશમ સમ્યક્ત્વની સાથે કોઈક આત્મા દેશિવરિત અથવા સર્વવિરતિ પણ પ્રાપ્ત કરે છે. અનિવૃત્તિકરણના ચરમસમયવર્તી એટલે મિથ્યાત્વની પ્રથમ સ્થિતિના ચરમસમયવર્તી મિથ્યાર્દષ્ટિ અથવા ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિના પ્રથમ સમયે અંતરકરણની ઉપરની સ્થિતિમાં રહેલ સત્તાગત મિથ્યાત્વનાં દલિકોને રસના ભેદે ત્રણ પ્રકારે કરે છે. ત્યાં કેટલાંક દલિકોને એક સ્થાનિક અને જધન્ય દ્વિસ્થાનિક રસવાળાં કરી શુદ્ધપુંજ રૂપ બનાવે છે અને તે સમ્યક્ત્વ મોહનીય તેમજ દેશઘાતી કહેવાય છે, કેટલાંક દલિકોને દ્વિસ્થાનિક રસવાળાં બનાવી અર્ધશુદ્ધ પુંજરૂપ કરે છે તે મિશ્ર મોહનીય અને સર્વઘાતી કહેવાય છે, અને તિ સિવાયનાં શેષ દલિકો ઉત્કૃષ્ટ દ્વિસ્થાનિક, ત્રિસ્થાનિક અને ચતુઃસ્થાનિક રસવાળા થાય છે તે અશુદ્ધપુંજ રૂપ મિથ્યાત્વ મોહનીય અને સર્વઘાતી છે. અંતરકરણના પ્રથમ સમયથી અંતરકરણના અંતર્મુહૂર્ત પ્રમાણ કાળથી સંખ્યાતમા ભાગ પ્રમાણ અંતર્મુહૂર્ત સુધી દરેક સમયે મિથ્યાત્વનાં દલિકોને ગુણસંક્રમ દ્વારા સમ્યક્ત્વ મોહનીય અને મિશ્રમોહનીયમાં અનુક્રમે અસંખ્યાત ગુણાકારે સંક્રમાવે છે. ત્યાં પ્રથમસમયે સમ્યક્ત્વ મોહનીયમાં થોડાં અને મિશ્રમોહનીયમાં તેથી અસંખ્યાતગુણ સંક્રમાવે છે. પ્રથમ સમયે મિશ્રમોહનીયમાં જેટલાં સંક્રમાવે છે, તેનાથી બીજા સમયે સમ્યક્ત્વમોહનીયમાં અસંખ્યાતગુણ અને તેનાથી તે જ બીજા સમયે મિશ્રમોહનીયમાં અસંખ્યાતગુણ સંક્રમાવે છે: એમ પૂર્વ-પૂર્વના સમયે મિશ્રમોહનીયમાં જેટલાં સંક્રમાવે છે તેનાથી પછી-પછીના સમયે સમ્યક્ત્વમોહનીયમાં અને
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy