SearchBrowseAboutContactDonate
Page Preview
Page 723
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯૪ शेषं तु पुरुषसमम् । एवं शेषकषायान् वेद्यते स्तिबुकेनावलिका ॥ ७२ ॥ પંચસંગ્રહ-૨ અર્થ—શેષ પુરુષવેદ સમાન કહેવું. આ પ્રમાણે શેષ કષાયને ઉપશમાવે છે. તથા પ્રથમસ્થિતિની છેલ્લી આવલિકા સ્તિબુકસંક્રમ વડે અનુભવે છે. ટીકાનુ—સંજ્વલનક્રોધનો બંધાદિ વિચ્છેદ થયા પછી તેના શેષ દલિકની ઉપશમના પુરુષવેદની ઉપશમના પ્રમાણે થાય છે. આ હકીકત પૂર્વની ગાથામાં કહેવાઈ ગઈ છે. જે રીતે ત્રણ ક્રોધને ઉપશમાવે છે તે રીતે શેષ અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલન માન-માયા અને લોભ કષાયોને ઉપશમાવે છે. તે દરેકની પ્રથમસ્થિતિની જે આવલિકા શેષ રહે છે તેને પછીના પછીના કષાયમાં સ્તિબુકસંક્રમ વડે સંક્રમાવી અનુભવે છે. એનો જ વિશેષ વિચાર કરે છે. જ્યારે સંજ્વલન ક્રોધના બંધ, ઉદય અને ઉદીરણાનો વિચ્છેદ થાય ત્યારે તેની પ્રથમસ્થિતિની એક આવલિકા શેષ રહે છે. તે શેષ આવલિકાને સ્તિબુકસંક્રમ વડે માનમાં નાખી અનુભવે છે. અને જે સમયન્યૂન બે આલિકા કાળમાં બંધાયેલું દલિક ઉપશમ્યા સિવાયનું સત્તામાં છે તેને તેટલા જ કાળે એટલે કે બંધવિચ્છેદ સમયથી સમયોન બે આવલિકા કાળે અને અબંધના પ્રથમ સમયથી બે સમયન્યૂન બે આવલિકાકાળે ઉપશમાવે છે. ઉપશમનાનો ક્રમ જો કે પુરુષવેદ પ્રમાણે લેવા કહેલ છે છતાં અહીં જણાવે છે, અને તે આ પ્રમાણે—પ્રથમ સમયે અલ્પ ઉપશમાવે છે, બીજે સમયે અસંખ્યાતગુણ ઉપશમાવે છે, ત્રીજે સમયે અસંખ્યગુણ ઉપશમાવે છે, એમ અબંધના પ્રથમ સમયથી બે સમયન્યૂન બે આવલિકાના ચરમસમયપર્યંત ઉપશમાવે છે. જેમ ઉપશમાવે છે તેમ માનાદિમાં યથાપ્રવૃત્ત સંક્રમ વડે પુરુષવેદોક્ત ક્રમે સંક્રમાવે પણ છે. આવી રીતે સંજ્વલનક્રોધને સંપૂર્ણપણે ઉપશમાવે છે. જે સમયે સંજ્વલનક્રોધના બંધ, ઉદય અને ઉદીરણા વ્યવચ્છિન્ન થયા તે જ સમયે એટલે કે સંજ્વલનક્રોધના અબંધ સમયથી આરંભી સંજ્વલન માનની દ્વિતીયસ્થિતિમાંથી દલિક ખેંચીને પ્રથમસ્થિતિ કરે છે અને અનુભવે છે. (જે સમયે સંજ્વલન ક્રોધનો છેલ્લો ઉદય બંધ પડ્યો તે પછીના સમયથી માનનો ઉદય શરૂ થાય છે. પેલાના ઉદયવિચ્છેદ અને પછીનાના ઉદય વચ્ચે અંતર હોતું નથી.) બીજી સ્થિતિમાંથી ખેંચેલાં દલિકોમાંથી ઉંદયસમયમાં અલ્પ નાખે છે, બીજા સમયમાં અસંખ્યાતગુણ નાખે છે. ત્રીજા સ્થિતિસ્થાનમાં અસંખ્યગુણ નાખે છે, એમ પ્રથમસ્થિતિના ચરમસમય પર્યંત નાખે છે.(અત્યાર સુધી માનનો પ્રદેશોદય હતો તેથી એક પ્રદેશોદયાવલિકા છોડી ગુણશ્રેણિના ક્રમે દલિક ગોઠવાતું હતું. હવે રસોદય થયો એટલે ઉદયથી આરંભી ગુણશ્રેણિના ક્રમે દલિક ગોઠવાય છે.) પ્રથમસ્થિતિના પ્રથમસમયે સંજવલનમાનનો સ્થિતિબંધ ચાર માસ અને શેષ જ્ઞાનાવરણીયાદિનો સંખ્યાતા હજા૨વર્ષનો થાય છે. તે જ સમયથી અપ્રત્યાખ્યાનાવરણીયાદિ ત્રણે માનોને ક્રોધના ક્રમે એક સાથે જ ઉપશમાવવાનો આરંભ કરે છે. સંજ્વલન માનની પ્રથમસ્થિતિ સમયોન ત્રણ આવલિકા શેષ રહે ત્યારે અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ માનનાં દલિકોને સંજ્વલન માનમાં સંક્રમાવતો નથી પરંતુ સંજ્વલનની
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy