SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ બે બોલ જૈન દર્શનમાં કર્મ સાહિત્યનું વર્ણન ઘણું જ સૂક્ષ્મ રીતે કરવામાં આવેલું છે. આ અસાર સંસારમાંથી મુમુક્ષુ આત્માઓને તરવા માટે કર્મવિષયક જ્ઞાન અનિવાર્ય છે. પ્રાથમિક અભ્યાસ માટે પૂજ્યપાદ આ દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે સરળ ભાષામાં કર્મગ્રંથોની રચના કરી છે. ત્યારબાદ આ વિષય વધુ છણાવટથી જાણવા માટે કમ્મપયડી અને પંચસંગ્રહના વિષયો અભ્યાસક વર્ગને ઘણા જ ઉપયોગી છે. “પંચસંગ્રહ” નામના આ દળદાર ગ્રંથની રચના પૂજ્યપાદ ચંદ્રષિમહત્તરાચાર્ય મહારાજશ્રીએ કરેલી, તેના ઉપર સરળ ભાષાવાળી પૂજય આ મલયગિરિજી મહારાજાએ ટીકા રચેલ. તેનું ગુજરાતી ભાષામાં ભાષાન્તર સ્વ. પંડિત શ્રી હીરાલાલભાઈ દેવચંદ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલું. પંડિતશ્રીએ ઘણી જ કાળજીપૂર્વક ખંત અને પરિશ્રમથી આ ભાષાન્તર તૈયાર કરેલું, છેલ્લાં કેટલાંએક વર્ષોથી પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબોમાં કમ્મપયડી તથા પંચસંગ્રહનો અભ્યાસ સારો એવો વધ્યો છે અને ભાષાન્તરના પુસ્તકની પ્રાપ્તિ દુર્લભ બની છે. તેથી આ પુસ્તકને પ્રકાશિત કરવાની ખાસ જરૂર હતી. - આ પુસ્તકનો પહેલો અને બીજો ભાગ ફરીથી પ્રકાશિત કરવામાં સંપાદકશ્રી પુખરાજજી અમીચંદજી સાહેબની ઘણી મહેનત છે. પોતાના અનુભવોનો નિચોડ દાખલ કરવામાં, અમૂલ્ય સમયનો ભોગ આપવામાં એ કુશાગ્રબુદ્ધિગમ્યભાવોને સરળ રીતે રજૂ કરવામાં તેમણે જે અપૂર્વ ફાળો આપ્યો છે. તે ઘણો જ અનુમોદનીય છે અને અભિનંદનને પાત્ર છે. અંતમાં પ્રત્યેક સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબોને ભણવા અને ભણાવવામાં આ ગ્રંથ વધુમાં વધુ ઉપયોગી થાય. એ જ આશા લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ઠે. ઝવેરીવાડ ખરતરની ખડકી અમદાવાદ
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy