SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદીરણાકરણ ૫૦૯ સાદિ, અનાદિ પ્રરૂપણા નીચેનું સૂત્ર કહે છે वेयणियाऊण दुहा चउव्विहा मोहणीय अजहन्ना । पंचण्ह साइवज्जा सेसा सव्वेसु दुविगप्पा ॥२६॥ वेदनीयायुषोद्धिधा चतुर्विधा मोहनीयस्याजघन्या । પંડ્યાનાં સાતિવર્ના શેષા: સર્વે તિવિવાદ રદ્દા અર્થ–વેદનીય અને આયુની અજઘન્ય ઉદીરણા બે પ્રકારે, મોહનીયની ચાર પ્રકારે, અને શેષ પાંચ કર્મની સાદિ વર્જ ત્રણ પ્રકારે છે. સર્વ કર્મમાં શેષ વિકલ્પો બે ભાંગા છે. ટીકાન–વેદનીય અને આયુની અજઘન્ય સ્થિતિ-ઉદીરણા સાદિ અને સાંત એમ બે પ્રકારે છે. તે આ પ્રમાણે–વેદનીયની જઘન્ય સ્થિતિની ઉદીરણા અતિ અલ્પ સ્થિતિની સત્તાવાળા એકેન્દ્રિયને હોય છે. સમયાન્તરે-કાલાન્તરે વધતી સત્તાવાળા તેને જ અજઘન્ય સ્થિતિની ઉદીરણા હોય છે. વળી જઘન્ય સ્થિતિની સત્તાવાળો થાય ત્યારે તેને જઘન્ય સ્થિતિની ઉદીરણા થાય છે. આ પ્રમાણે જઘન્યથી અજઘન્ય અને અજઘન્યથી જઘન્ય ઉદીરણા થતી હોવાથી તે બંને સાદિ-સાંત છે. આયુની જઘન્ય સ્થિતિની ઉદીરણા વર્જીને શેષ સઘળી અજઘન્ય સ્થિતિ ઉદીરણા છે, અને તે સમયાધિક પર્યતાવલિકા શેષ રહે ત્યારે થતી નથી. કેમ કે સમયાધિક પર્યત આવલિકા શેષ રહે ત્યારે જઘન્ય સ્થિત્યુદીરણા થાય છે, વળી પરભવે ઉત્પત્તિના પ્રથમ સમયથી અજઘન્ય સ્થિતિ-ઉદીરણા થાય છે. માટે તે સાદિ-સાંત છે. વળી જઘન્ય, ઉત્કૃષ્ટ અને અનુકૃષ્ટ આ ત્રણે સાદિ-સાંત છે. તેમાં જઘન્ય તો અજઘન્ય સ્થિત્યુદીરણાના પ્રસંગે કહેવાઈ ગયેલ છે. ઉત્કૃષ્ટ સ્થિત્યુદીરણા આયુનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી તેનો જ્યારે ઉદય થાય ત્યારે સમયમાત્ર હોય છે, ત્યારબાદ અનુત્કૃષ્ટ સ્થિત્યુદીરણા હોય છે, અને તે સમયાધિક આવલિકા પ્રમાણ આયુ શેષ રહે ત્યાં સુધી હોય છે. સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે સમય પ્રમાણ સ્થિતિની જઘન્ય ઉદીરણા થાય છે. આ પ્રમાણે નિયત કાલ પર્યત પ્રવર્તતા હોવાથી આ ત્રણે ભંગ સાદિ-સાંત છે. - તથા મોહનીયની અજઘન્ય સ્થિત્યુદીરણા સાદિ, અનાદિ, ધ્રુવ અને અદ્ભવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે–મોહનીયની જઘન્ય સ્થિત્યુદીરણા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે વર્તમાન ઉપશમ અથવા ક્ષેપકને તે ગુણસ્થાનકની સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે થાય છે એ સિવાય સર્વત્ર અજઘન્ય ઉદીરણા હોય છે તે ઉપશાંતમોહ ગુણસ્થાનકે થતી નથી ત્યાંથી પડે ત્યારે થાય છે. માટે સાદિ, તે સ્થાન જેઓએ અદ્યાપિ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ છે. તેના શેષ જઘન્ય, ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ એ ત્રણે વિકલ્પ સાદિ-સાંત ભાંગે છે. તેમાં મોહનીયની જઘન્ય સ્થિતિ ઉદીરણા દશમા ગુણસ્થાનકે તે ગુણસ્થાનકનો સમયાધિક આવલિકા કાળ શેષ રહે ત્યારે સમય પ્રમાણ સ્થિતિની થાય છે. અને તે સમયમાત્ર થતી હોવાથી સાદિ-સાત છે, ઉત્કૃષ્ટ સ્થિત્યુદીરણા ઉત્કૃષ્ટ સંક્લેશે વર્તમાન મિથ્યાદષ્ટિને કેટલીએક કાળ-ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અંતર્મુહૂર્ત થતો હોવાથી અંતર્મુહૂર્ત પર્યત હોય છે. ત્યારબાદ અનુત્કૃષ્ટ ઉદીરણા હોય છે. વળી ક્લિષ્ટ પરિણામના યોગે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે ત્યારે ઉત્કૃષ્ટ સ્થિત્યુદીરણા હોય છે. આ
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy