SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૮ प्राप्तोदययेतरा सह वेद्यते स्थित्युदीरणैषा । यावलिकाभ्यां हीना यावदुत्कृष्टा प्रायोग्या ॥२५॥ પંચસંગ્રહ-૨ અર્થ—ઉદય પ્રાપ્ત સ્થિતિ સાથે જે તરા- ઉદય અપ્રાપ્ત સ્થિતિ વેદાય છે, તે સ્થિત્યુદીરણા કહેવાય છે અને તે બે આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ સુધીની સઘળી સ્થિતિ છે. ટીકાનુ—ઉદય પ્રાપ્ત સ્થિતિ સાથે રૂતરા-ઉદય અપ્રાપ્ત ઉદયાવલિકા ઉપર રહેલી સ્થિતિને વીર્યવિશેષે ખેંચીને જે વેદાય તે સ્થિતિ-ઉદીરણા કહેવાય છે. જો કે સ્થિતિના સમયોને ખેંચી તેનો પ્રક્ષેપ કે અનુભવ થતો નથી. કેમ કે કાળ કંઈ ખેંચાતો નથી. પરંતુ ઉદયાવલિકા ગયા બાદ તે તે સમયે ભોગવવા માટે નિયત થયેલાં દલિકોને વીર્યવિશેષે ખેંચીને ઉદયાવલિકામાં જે સમયો—સ્થિતિસ્થાનકો છે તેની સાથે ભોગવવા યોગ્ય કરે છે. તાત્પર્ય એ કે ઉદયાવલિકા પછી કોઈ પણ કાળે ભોગવવા યોગ્ય દલિકોને ઉદીરણાકરણ વડે ઉદયાવલિકા સાથે ભોગવવા યોગ્ય કરે છે. જો કે અહીં ઉદીરણા દલિકોની જ છે, પરંતુ તે તે સ્થિતિસ્થાનમાં રહેલાં કર્મદલિકોને ઉદીરે છે માટે સ્થિતિ ઉદીરણા કહી છે. આ પ્રમાણે સ્થિત્યુદીરણાનું લક્ષણ · કહ્યું. જ્ઞાનાવરણીયાદિ કર્મની ઉદીરણા યોગ્ય સ્થિતિ કેટલી હોય છે તે કહે છે—બે આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલી હોય તેટલી ઉત્કૃષ્ટથી ઉદીરણા યોગ્ય સ્થિતિ છે. એટલે કે બે આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિના જેટલા સમયો થાય તેટલાં સ્થિતિસ્થાનો ઉદીરણાને યોગ્ય છે. એ જ વસ્તુનો વિચાર કરે છે—ઉદય છતાં જે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે. તેઓની ઉત્કૃષ્ટથી બે આવલિકા ન્યૂન સઘળી સ્થિતિ ઉદીરણા યોગ્ય છે. જેમ કે—જ્ઞાનાવરણીયાદિ જે કર્મપ્રકૃતિઓનો ઉદય હોય ત્યારે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે. તેઓની બંધાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરની સઘળી સ્થિતિ ઉદીરણા કરે છે. આ પ્રમાણે ઉદયબંધોત્કૃષ્ટ પ્રકૃતિઓની બે આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉત્કૃષ્ટ ઉદીરણા યોગ્ય થાય છે. તથા જે નરકગતિ આદિ કર્મપ્રકૃતિઓનો ઉદય-૨સોદય ન હોય ત્યારે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય તેની યથાસંભવ-ઉદય થાય ત્યારે જેટલી સ્થિતિ સત્તામાં હોય તેમાંથી ઉદયાવલિકા રહિત શેષ સ્થિતિઓ ઉદીરણા યોગ્ય થાય છે. ઉદીરણાના ભેદો કહે છે—બે આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિના જેટલા સમયો થાય, તેટલા સ્થિતિ ઉદીરણાના પ્રભેદો જાણવા. તે આ પ્રમાણે—ઉદયાવલિકા ઉપરની સમયમાત્ર સ્થિતિ કોઈને ઉદીરણા યોગ્ય હોય છે—કે જેને સત્તામાં તેટલી જ શેષ રહી હોય. એ પ્રમાણે કોઈને બે સમયમાત્ર, કોઈને ત્રણ સમયમાત્ર, એમ વધતા યાવત્ કોઈને બે આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા યોગ્ય હોય છે. એટલે બે આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિના જેટલા સમયો તેટલાં ઉદીરણાનાં સ્થાનકો-ભેદો સમજવા. આ પ્રમાણે ઉદીરણાના ભેદો કહ્યા. ૨૫. આ પ્રમાણે ભેદ પ્રરૂપણા કહી. હવે સાદિ આદિ ભાંગાની પ્રરૂપણા કરવી જોઈએ. તે મૂળપ્રકૃતિ વિષયક અને ઉત્તરપ્રકૃતિ વિષયક એમ બે પ્રકારે છે. તેમાં અહીં મૂળપ્રકૃતિ વિષયક
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy